લાલ બહાદુર શાસ્ત્રીના મોતના રહસ્ય પરથી ઉઠી શકે છે પડદો, પીએમ લેશે ફેસલો
લાલ બહાદુર શાસ્ત્રીના મોતના રહસ્ય પરથી ઉઠી શકે છે પડદો, પીએમ લેશે ફેસલો
નવી દિલ્હીઃ નેતાજી શુભાષ ચંદ્ર બોઝના મૃત્યના રહસ્ય પરથી પડદો ઉઠ્યા બાદ હવે લાલ બહાદુર શાસ્ત્રીના મોત્યુ સાથે જોડાયેલા દસ્તાવેજોને સાર્વજનિક કરવામાં આવી શકે છે. સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશને કહ્યું કે પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રી સાથે જોડાયેલ તમામ દસ્તાવેજોને પીએમ અને ગૃહમંત્રી સામે રાખવાં જોઈએ, જેનાથી તેઓ ફેસલો લઈ શકે કે દસ્તાવેજોને સાર્વજનિક કરવાં જોઈએ કે નહિ. આ નિર્દેશ પીએમ કાર્યાલયના સેન્ટ્રલ પબ્લિક ઈન્ફોર્મેશન તરફથી આપવામાં આવ્યો છે.

પીએમ સામે રાખવામાં આવશે દસ્તાવેજ
આ મામલે એક આરટીઆઈ દાખલ કરવામાં આવી હતી, જેમાં અરજદારે પૂછ્યું હતું કે લાલ બહાદુર શાસ્ત્રીના નિધન બાદ એમની ઑટોપ્સી કરવામાં આવી હતી કે નહિ. જણાવી દઈએ કે લાલ બહાદુર શાસ્ત્રનું 11 જાન્યુઆરી 1966ના રોજ તાશકંદમાં નિધન થયું હતું. આરટીઆઈ દાખલ થયા બાદ સીઆઈસીએ નિર્દેશ આપ્યા કે આ તમામ દસ્તાવેજોને પીએમ અને ગૃહમંત્રાલય સમક્ષ રાખવામાં આવે જેથી લોકોને આ અંગે જોડાયેલ માહિતી આપી શકાય. સીઆઈસીના કમિશ્નર શ્રીધર આચાર્યુલુએ જણાવ્યું કે અમે દસ્તાવેજોને પીએમ અને ગૃહમંત્રીની સમક્ષ રાખશું જે બાદ ફેસલો લેવામાં આવશે કે દસ્તાવેજોને નિષ્ણાંતોની કમિટિ દ્વારા તપાસ બાદ જાહેર કરવા કે પછી બીજી જ કોઈ પ્રક્રિયાથી.

રહસ્યમય પરિસ્થિતિમાં મૃત્યુ
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મોહમ્મદ અયૂબ ખાન સાથે 1695માં ઈન્ડો-પાક. યુદ્ધમાં સંઘર્ષ વિરામ પર હસ્તક્ષાર કર્યાની થોડી કલાકોમાં જ લાલ બહાદુર શાસ્ત્રીનું નિધન થયું હતું. શાસ્ત્રીજીની સંદિગ્ધ પરિસ્થિતિમાં મૃત્યુ થયા બાદ આ રહસ્ય ક્યારેય ઉજાગર ન થયું કે આખરે લાલ બહાદુર શાસ્ત્રીનું નિધન કેવી રીતે થયું હતું? આ પણ વાંચો-મહાત્મા ગાંધીને પણ હતો વિશ્વાસ કે, બોઝ જીવે છે

સરકારે આપવી જોઈએ જાણકારી
સીઆઈસી કમિશ્નરે કહ્યું કે આ ઘટના બાદ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે, જેમ કે લાલ બહાદુર શાસ્ત્રીના વ્યક્તિગત ડૉક્ટરની હત્યા, એમના બે આસિંસ્ટન્ટના વિવિધ ઘટનામાં મોત, રાજ્યસભા કમિટિથી તથ્યોની ગેર હાજરી અને પત્રકારોના તમામ સવાલો મહત્વના છે. શાસ્ત્રીજીના પત્ની લલિતા અને પરિવારના અન્ય સભ્યો અને કમીશન એ પક્ષમાં છે કે કેન્દ્ર સરકારે દેશના નાગરિકોને જણાવવું જોઈએ કે આખરે તાશકંદમાં લાલ બહાદુર શાસ્ત્રીની હત્યા કેમ અને કેવી રીતે થઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
