રાજ્યપાલે તમિલનાડુના મંત્રી વી સેંથિલ બાલાજીને મંત્રીપદેથી હટાવ્યા, ભ્રષ્ટાચારના આરોપમાં કરાઇ કાર્યવાહી
તમિલનાડુ સરકારના મંત્રી વી સેંથિલ બાલાજીને મંત્રી પરિષદમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. તમિલનાડુ રાજ ભવને જણાવ્યું હતું કે, "મંત્રી વી સેંથિલ બાલાજી ભ્રષ્ટાચારના અનેક કેસોમાં ગંભીર ફોજદારી કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે જેમાં નોકરીઓ માટે રોકડ અને મની લોન્ડરિંગનો સમાવેશ થાય છે.
આવા સંજોગોમાં, રાજ્યપાલે તેમને તાત્કાલિક અસરથી મંત્રી પરિષદમાંથી બરતરફ કર્યા છે." તમિલનાડુ રાજભવને એક પ્રેસ રિલીઝમાં આ જાણકારી આપી છે.

એમકે સ્ટાલિન સરકારના મંત્રી આરએન રવિ પર મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હાલ તે જેલમાં બંધ છે. ગુરુવારે તમિલનાડુના ગવર્નર આરએન રવિએ મંત્રી પરિષદને બરખાસ્ત કરી દીધી હતી.
આ અગાઉ રાજ્યપાલ આરએન રવિએ અન્ય મંત્રીઓને વી સેંથિલ બાલાજીના પોર્ટફોલિયોની વહેંચણી કરી હતી. જેના કારણે સરકાર અને રાજભવન વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.
હકીકતમાં, 14 જૂને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 14 જૂને મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તમિલનાડુના મંત્રી વી સેંથિલ બાલાજી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. અગાઉ, ઇડીએ મંગળવારે મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે ડીએમકેના મજબૂત નેતા બાલાજી સાથે જોડાયેલા પરિસર પર દરોડા પાડ્યા હતા.
તમિલનાડુમાં નોકરી માટે રોકડ કૌભાંડની તપાસ ત્યારે શરૂ થઈ જ્યારે સુપ્રીમ કોર્ટે તપાસની મંજૂરી આપતો આદેશ આપ્યો.
મંત્રી પરિષદમાંથી વી સેંથિલની હકાલપટ્ટી પર ડીએમકે તરફથી પ્રથમ પ્રતિક્રિયા આવી છે. ડીએમકેના નેતા સર્વનન અન્નાદુરાઈએ કહ્યું છે કે સેંથિલ બાલાજીને બરતરફ કરનાર રાજ્યપાલ કોણ છે. એક નિવેદનમાં સરવણને કહ્યું, "રાજ્યપાલ પાસે શું સત્તા છે? તે સનાતન ધર્મ અનુસાર કાર્ય કરી રહ્યા છે પરંતુ સનાતન ધર્મ આપણા દેશનો કાયદો નથી.
આપણું બંધારણ આપણું બાઇબલ, ગીતા, કુરાન છે. અમે તેમને વિનંતી કરીએ છીએ કે તેમણે બંધારણ યોગ્ય રીતે વાંચવું જોઈએ. તેની પાસે સત્તા નથી, તે તેના માલિકોને ખુશ કરવા માટે આવી રીતે કામ કરી રહ્યો છે."












Click it and Unblock the Notifications
