'સ્નૂપગેટ' : સરકાર મતગણતરી પહેલા જજની નિમણૂક કરશે
નવી દિલ્હી, 2 મે : આજે કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે ગુજરાતમાં બહુચર્ચિત 'સ્નૂપગેટ'જાસુસીકાંડની તપાસ માટે રચવામાં આવેલા પંચ માટે કોંગ્રેસ-યુપીએ સરકાર 16 મે, 2014 પહેલા જ જજની નિમણૂંક કરી દેશે. આ અંગેની જાહેરાત કરીને કેન્દ્રીય કાયદા પ્રધાન કપિલ સિબ્બલે ભાજપના નેતા અરૂણ જેટલીએ કરેલા દાવા કે કોઇ જજ નરેન્દ્ર મોદીને નિશાન બનાવતા રાજકીય બખાડામાં પડશે નહીં તેવી વાતનો છેદ ઉરાડી દીધો હતો.
કપિલ સિબ્બલના નિવેદનને સમર્થન આપતા કેન્દ્રીય ગૃહ પ્રધાન સુશીલકુમાર શિંદેએ કહ્યું કે લોકસભા ચૂંટણી માટે મતગણથરી શરૂ કરાય તે પહેલા જ સરકાર ગુજરાત જાસુસીકાંડના તપાસ પંચ માટે જજની નિમણૂંક કરશે. ગુજરાતમાં એક મહિલા પર જાસુસી કરવાની ઘટના માટે તપાસ પંચ નિમવાનો કેન્દ્રીય કેબિનેટે નિર્ણય લીધો છે. 16 મે, 2014 પહેલા જજની નિમણૂંક કરીશું.

લોકસભા ચૂંટણી 2014ના ગરમાયેલા માહોલ વચ્ચે લોકપ્રિયતાના શિખર સર કરી રહેલા નરેન્દ્ર મોદીને ભીંસમાં લેવાની તમામ તકનો લાભ લેવા માંગતી કોંગ્રેસે પોતાનો છેલ્લો દાવ અજમાવીને મહિલા જાસુસી પ્રકરણમાં તપાસ કરવાની દિશામાં કેન્દ્ર સરકાર આગળ વધી રહી છે.
જજની નિમણૂંકથી ચૂંટણી આચાર સંહિતાનો ભંગ નહીં થાય? એવા સવાલનો શિંદેએ નકારમાં ઉત્તર આપ્યો હતો. અગાઉ ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીએ દેશના તમામ જજોને અપીલ કરી હતી કે તેઓ જાસુસી પ્રકરણની તપાસ ન કરે.
કપિલ સિબ્બલનો આરોપ છે કે ભાજપ આ કેસની તપાસ થાય તેનાથી ગભરાઈ ગઈ છે. ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસ મોદી પર છેલ્લો પ્રહાર કરવા માંગે છે. આથી અંદરખાને કેન્દ્ર સરકારે આ કેસની તપાસ જલ્દી શરૂ થાય તે માટેની તૈયારીઓ કરવા માંડી છે.
મહિલા આક્રિટેક્ટની જાસુસી કરવવાના પ્રકરણમાં કોંગ્રેસ અલ્હાબાદ હાઇકોર્ટના જજને નિયૂક્ત કરી શકે છે. કેન્દ્ર સરકાર અલ્હાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ધનંજય યશવંત ચંદ્રચૂડને તપાસ માટે કોઈ જજની અપોઇન્ટ કરવા અપીલ કરશે. નવા નિમાયેલી જજ તપાસ સમિતિના અધ્યક્ષ બનશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
