સોશિયલ મીડિયા માટે સરકાર પાસે નિયામક નિયુક્ત કરવાનો કોઈ પ્રસ્તાવ નથીઃ રવિશંકર પ્રસાદ
સરકારે બુધવારે સંસદમાં જણાવ્યુ કે આઈટી મંત્રાલય પાસે સોશિયલ મીડિયા પર નિયામક નિયુક્ત કરવા માટે કોઈ પ્રસ્તાવ નથી.
નવી દિલ્લીઃ ઓટીટી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાંધાજનક, વિવાદિત અને ફેક કન્ટેન્ટ પર રોક લગાવવા માટે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યુ છે. આ દિશામાં સરકારે બુધવારે સંસદમાં જણાવ્યુ કે આઈટી મંત્રાલય પાસે સોશિયલ મીડિયા પર નિયામક નિયુક્ત કરવા માટે કોઈ પ્રસ્તાવ નથી. જો કે સરકારે એ પણ કહ્યુ કે આઈટી અધિનિયમ હેઠળ સૂચના પ્રોદ્યોગિકી(ઈન્ટરમીડિયરી ગાઈડલાઈન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) રુલ્સ 2021 જાહેર કરવામાં આવ્યા છે.

સંસદમાં બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે લેવામાં આવેલ પગલા વિશે કેન્દ્રીય આઈટી અને સંચાર મંત્રી રવિશંકર પ્રસાદે આ માહિતી આપી. તેમણે કહ્યુ કે જાહેર કરવામાં આવેલ નિયમોમાં સોશિયલ મીડિયા સંબંધી દિશાનિર્દેશોનુ પાલન કરવાની વાત કહેવામાં આવી છે. રવિશંકર પ્રસાદના જણાવ્યા મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, વૉટ્સએપ અને ટ્વિટર સહિત કંપનીઓને મજબૂત ફરિયાદ નિવારણ પ્રણાલી બનાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. હાલમાં વર્તમાન સમયમાં સરકાર પાસે સોશિયલ મીડિયા માટે નિયામક નિયુક્ત કરવા માટે કોઈ પ્રસ્તાવ નથી.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને ફેબ્રુઆરીમાં કેન્દ્ર સરકારે ઓટીટી અને સોશિયલ મીડિયા પ્લેટફરો્મ સામે કડક નિર્ણય લઈને એક ગાઈડલાઈન જાહેર કરી હતી. દિશાનિર્દેશોમાં કહેવામાં આવ્યુ હતુ કે મીડિયા કંપનીઓને 36 કલાકની અંદર વાંધાજનક સામગ્રીને હટાવવી પડશે, સાથે જ ફરિયાદ નિવારણ તંત્ર પણ બનાવવુ પડશે. સરકારની આ ગાઈડલાઈન ટ્વિટર અને વૉટ્સએપ જેવી કંપનીઓ માટે હતી. સરકારના નિર્દેશો બાદ સોશિયલ મીડિયા કંપનીઓએ માહિતી આપી હતી કે તેમણે ગયા વર્ષ 2020માં 9849 યુઆરએલ, અકાઉન્ટ અને વેબપેજ બંધ કર્યા છે. આમાંથી મોટાભાગના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય હતા. બુધવારે સૂચના પ્રૌદ્યોગિકી રાજ્યમંત્રી સંજય ધોત્રેએ પણ સંસદમાં જણાવ્યુ કે સરકારે વૉટ્સએપને પોતાની પ્રસ્તાવિત ગોપનીયતા નીતિ ફેરફારની સમીક્ષા કરવા માટે કહ્યુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
