પર્યાવરણવિદ જીડી અગ્રવાલનું નિધન, 112 દિવસથી હતા ભૂખ હડતાળ પર
ગંગાને બચાવવા માટે 22 જૂનથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા પર્યાવરણવિદ જી ડી અગ્રવાલનું નિધન થઈ ગયુ છે. તેઓ 86 વર્ષના હતા.
ગંગાને બચાવવા માટે 22 જૂનથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા પર્યાવરણવિદ જી ડી અગ્રવાલનું નિધન થઈ ગયુ છે. તેઓ 86 વર્ષના હતા. આઈઆઈટીના પ્રોફેસર રહી ચૂકેલ જી ડી અગ્રવાલનો ગંગાને બચાવવા માટેનો આ 5મો ઉપવાસ હતો. જી ડી અગ્રવાલ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પહેલા સભ્ય સચિવ રહી ચૂક્યા હતા અને ગંગાને બચાવવા માટે ઘણા લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા હતા.

ઉત્તરાખંડ સરકારે તેમના આમરણાંત ઉપવાસ ખતમ કરવા માટે કહ્યુ હતુ પરંતુ તેઓ માન્યા નહોતા. પ્રો. જી ડી અગ્રવાલે જળ ત્યાગ કર્યાના આગલા દિવસે બુધવારે બપોરે પ્રશાસને તેમને જબરદસ્તીથી લઈ જઈને ઋષિકેષ સ્થિત એઈમ્સ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. જી ડી અગ્રવાલને સ્વામી જ્ઞાન સ્વરૂપ સાનંદના નામે પણ ઓળખવામાં આવતા હતા. તેઓ સરકારની આમરણાંત ઉપવાસ ખતમ કરવાની કોશિશોને માનવા તૈયાર નહોતા અને ગંગાને બચાવવા માટે પોતાની લડાઈ લડતા રહ્યા.
આ પહેલા વર્ષ 2011 માં માતૃસદનના એક સંત નિગમાનંદનું પણ આમરણાંત ઉપવાસ કરવા દરમિયાન મૃત્યુ થઈ ગયુ હતુ. જેનો ઘણો વિવાદ થયો હતો. તેઓ ગંગા સંરક્ષણ માટે સરકાર દ્વારા બનાવવામાં આવેલ કાયદાના સખત વિરોધમાં હતા. તેમનું કહેવુ હતુ કે આ કાયદો મંત્રીઓ અને અધિકારીઓના હાથનું રમકડુ બની જશે અને ગંગા પોતાનું વાસ્તવિક રૂપ ગુમાવી દેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
