26/11: પાકમાં ધુમી રહ્યાં છે માસ્ટરમાઇન્ડ ને તેના સાથી
પાંચ દિવસ પહેલા મુંબઇ આતંકી હુમલામાં પકડાયેલા આતંકવાદી અજમલ આમિર કસાબને ફાંસી આપવામાં આવી. આ ખબર આવતા જ આખા દેશમાં દીવાળીનો માહોલ સર્જાયો. થોડાક દિવસો સુધી એ લોકોના દિલને રાહત પહોંચી, જેમણે 26/11 2008 એ પોતાના સ્વજનોને ખોયા હતા, પરંતુ ખરી રીતે જોવામા આવે તો હજુ 26/11નો બદલો પૂરો થયો નથી. આજે પણ લશ્કરના સંસ્થાપક અને આ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ ખુલ્લેઆમ ફરી રહ્યાં છે.
પાકિસ્તાન સરકારે કસાબનો મૃતદેહ લેવાનો એમ કહીને ઇન્કાર કરી દીધો કે તે તેમના દેશનો નથી. બીજી તરફ હાઇફ સઇદે બે દિવસ પહેલા હજારો લોકો સાથે ઉભા રહીને કસાબને શ્રદ્ધાજંલિ આપી હતી. કસાબને પાકિસ્તાનમાં ઘયાબાના નમાજ એ જનાજા રજૂ કરવામાં આવ્યો. કસાબને આ શ્રદ્ધાજંલિ લાહોર નજીક મુરીદકે સ્થતિત જમાત ઉદ દાવાના મુખ્યાલય પર બે દિવસની આતંકી શિબિરની સમાપ્તિ દરમિયાન આપવામાં આવી.
26/11 હુમલામાં 166 લોકોને મોતના મુખમાં ધકેલી દેનારા 10 આતંકીમાંથી માત્ર કસાબ જ પકડાયો હતો જ્યારે બાકી બધા ઠાર મરાયા હતા. તો માસ્ટર માઇન્ડ અને તેના 10 સાથી હજુ પણ જીવીત છે. જ્યાં સુધી આ 10 આતંકીઓ જીવીત છે, ત્યાં સુધી મુંબઇ હુમલાના પીડિતોને ન્યાય નહીં મળી શકે.
અફસોસ એ વાતનો છે કે આ જણતા હોવા છતાં પણ હાફિઝ સઇદ, જકીઉર રહમાન લખવી, મેજર સમીર અલી સહિત ઘણા લોકો ખુલ્લેઆમ ફરી રહ્યાં છે. ભારત સરકારે પાડોશી દેશ સાથે મિત્રતા સભર સંબંધો બનાવવા માટે વારંવાર હાથ વધારી રહી છે, ભારત-પાકિસ્તાન ક્રિકેટ શ્રેણીનું પણ ટૂંક સમયમાં આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે કસાબને ફાંસી આપવામાં આવી ત્યારે આપણા વિદેશમંત્રી પાકિસ્તાન જવાના હતા. વારંવાર પાકિસ્તાન સાથે સારા સંબંધો બનાવવા કરતા વધારે જરૂરી છે પીડિતોને ન્યાય અપાવો.
26/11 હુમલામાં કોણે શું કર્યું?

હાફિઝ સઇદ
લશ્કરના સંસ્થાપક હાફિઝ સઇદે 26/11 હુમલાની યોજના બનાવી અને કોણે શું કરવાનું છે તે નક્કી કર્યું. સઇદે જ ભારત આવેલા 10 આતંકીઓને ટ્રેનિંગ આપી હતી. ભારતે સઇદ વિરુદ્ધ ઘણા પુરાવાઓ પાકિસ્તાનને આપ્યા, પરંતુ પાકની કોર્ટ આ પુરાવાઓને માનવા તૈયાર નથી. સઇદ આજે પણ આઝાદ છે. ભારત અને અમેરિકાએ સઇધ પર એક કરોડ ડોલરનુ ઇનામ રાખ્યું છે.

જકી ઉર રહેમાન લખવી
લશ્કરનો આ ઓપરેશનલ કમાન્ડર છે, જેણે 26/11 હુમલાને કોઓર્ડિનેટ કર્યું હતું. જે સમયે કસાબ સહિત 10 આતંકીઓ હુમલાને અંજામ આપી રહ્યાં હતા ત્યારે તેમને કરાચીના કંટ્રોલ રૂમમાં બેસીને લખવી દિશા નિર્દેશ આપી રહ્યો હતો.

સાજીદ મીર
સાજીદ મીર પણ લશ્કરનો કમાન્ડર છે. જેણે કંટ્રોલ રૂમમાં બેસીને એ લોકોને દિશા નિર્દેશ કર્યો હતો જે હુમલા પહેલાની તૈયારી કરવા ગયા હતા. આ એ જ વ્યક્તિ છે, જેણે લક્ષ્ય નિર્ધારિત કર્યો હતો.

અબ્દુર રહમાન હાશિમ સૈયદ
આ એ વ્યક્તિ છે, જેણે 26/11 હુમલાનુ અધ્યયન કર્યું અને એ જ શ્રેણીમાં ઘણા અન્ય હુમલાઓ કરવાની તૈયારી કરી. તે હજુ પણ આઝાદ છે.

મેજર ઇકબાલ
આઇએસઆઇના મેજર ઇક્બાલ પણ તે સમયે કંટ્રોલ રૂમમાં ઉપસ્થિત હતા. ઇક્બાલે આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. પાકિસ્તાનનું કહેવું છેકે આઇએસઆઇમાં મેજર ઇક્બાલ નામની કોઇ વ્યક્તિ નથી.

અબુ જુંદાલ
અબુ જુંદાલ એક માત્ર ભારતીય છે, જે કંટ્રોલ રૂમમાં એ સમયે ઉપસ્થિત હતો. તેણે તમામ 10 આતંકીઓને હિન્દી શિખવ્યું હતું. તેણે મુંબઇમાં કેવી રીતે વાત કરવાની છે, તે શિખવ્યું હતું. આ સાઉદી અરબમાંથી પકડાયો હતો, જે હાલ હિરાસતમાં છે.

ડેવિડ હેડલી
આ આતંકીનો જન્મ પાકિસ્તાનમાં થયો અને પછી તે અમેરિકા જતો રહ્યો. ત્યાંની નાગરિકતા હાસલ કરી. ત્યારબાદ ભારત આવ્યો અને હોટલ તાજ, હોટલ ઓબરોય, નરીમન હાઉસ અને લિયોપોલ્ડ કાફે ગયો અને ત્યાંતિને જાણવાનું કામ કર્યું. ત્યાંથી ગયા બાગ તેણે પ્લાન બનાવવા માટે આઇએસઆઇ અને લશ્કરને મદદ કરી. હેડલી હાલ અમેરિકાની જેલમાં છે.

મેજર સમીર અલી
આઇએસઆઇના વધુ એક અધિકારીનું નામ છે મેજર સમીર અલી, જેમે હુમલાવરોને ટ્રેનિંગ આપી હતી. પાકિસ્તાન હજુ પણ એ માનવા તૈયાર નથી કે મેજર સમીર અલી નામની વ્યક્તિ કોઇ વ્યક્તિ છે.

અબૂ હમજા
અબૂ હમજા 26/11 હુમલાવરોનો મુખ્ય ટ્રેનર હતો. આ એ વ્યક્તિ છે જેણે આઇએસઆઇ બેંગ્લોરમાં હુમલો કર્યો હતો. આ પણ તે સમયે કંટ્રોલ રૂમમા હતો.

જરાર શાહ
લશ્કર એ તૈયબાના ચીફ કમાન્ડર ક્મ્યુનિકેશન જરાર શાહે આતંકીઓને સમુદ્રના રસ્તા જતી વખતે સંપર્ક સાધવાની ટ્રેનિંગ આપી હતી. એ વાત હાલ સચોટપણે કહી શકાય નહીં કે તે પાક જેલમાં છે કે આઝાદ ફરી રહ્યો છે.

તહવ્વુર હૂસૈન રાણા
તહવ્વુર હૂસૈન રાણા પાકિસ્તાની આતંકવાદી છે, જે કેનેડામાં રહેતો હતો. તેણે ડેવિડ હેડલીને મુંબઇ આવવા માટે મદદ કરી હતી. આ વ્યક્તિ એ તેને પૈસાની વ્યવસ્થા પણ કરાવી હતી.

અજમલ કાસબ અને 10 આતંકી
સાચું માનો તો અજમલ કસાબ અને તેના 10 સાથી હાફિઝ સઇદથી લઇને રાણા સુધીના લોકોની કઠપૂતળી બન્યા અને એકે-47 લઇને મુંબઇમાં ઘુસી ગયા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
