પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ પાકિસ્તાની પત્રકારના દાવાનું કર્યું ખંડન, બીજેપીએ કર્યા સવાલ
પાકિસ્તાની પત્રકારના દાવા પર ભાજપે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીને નિશાન બનાવ્યા છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પૂછ્યું કે શું કોંગ્રેસ નેતૃત્વની આતંકવાદ સામે લડવાની આ નીતિ છે? ભારતીય જનતા પાર્ટી (BJP) એ બુધવારે કોંગ
પાકિસ્તાની પત્રકારના દાવા પર ભાજપે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીને નિશાન બનાવ્યા છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પૂછ્યું કે શું કોંગ્રેસ નેતૃત્વની આતંકવાદ સામે લડવાની આ નીતિ છે? ભારતીય જનતા પાર્ટી (BJP) એ બુધવારે કોંગ્રેસને આતંકવાદ સામેની તેની નીતિ સ્પષ્ટ કરવા કહ્યું હતુ.

હામિદ અંસારીએ આરોપોનુ કર્યું ખંડન
ભાજપે મીડિયા અહેવાલોને ટાંક્યા છે જેમાં એક પાકિસ્તાની પત્રકાર ભારતની મુલાકાતે છે અને તત્કાલિન ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીના આમંત્રણ સહિત સંવેદનશીલ અને ગુપ્ત માહિતી શેર કર્યા હોવાના સનસનાટીભર્યા દાવા કર્યા છે. ભાજપના આરોપો બાદ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ કહ્યું કે, તેમની વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. એક વિગતવાર નિવેદનમાં, તેમણે કહ્યું, "મીડિયા અને ભાજપના સત્તાવાર પ્રવક્તા દ્વારા મારા પર આરોપ મૂકવામાં આવ્યા છે. જુઠ્ઠાણું ફેલાવાયુ હતું.

ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી સતત બે ટર્મ માટે ચૂંટાયા હતા
ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ કહ્યું કે એ જાણીતી હકીકત છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ દ્વારા વિદેશી મહાનુભાવોને આમંત્રણો સામાન્ય રીતે વિદેશ મંત્રાલય દ્વારા સરકારની સલાહ પર આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાએ કહ્યું છે કે તેમને હામિદ અન્સારી પાસેથી ઘણી માહિતી મળી છે. જણાવી દઈએ કે હામિદ અંસારી ઓગસ્ટ 2007 થી ઓગસ્ટ 2017 સુધી સતત બે વખત ભારતના ઉપરાષ્ટ્રપતિ રહ્યા હતા.
શું બોલ્યો પાકિસ્તાની પત્રકાર?
ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાએ ખુલાસો કર્યો છે કે... અન્સારીએ તેમને 2005-2011 વચ્ચે પાંચ વખત ભારત આવવા આમંત્રણ આપ્યું હતું. તેણે કહ્યું કે તેની મુલાકાતો દરમિયાન તે તેને મળ્યો હતો અને સંવેદનશીલ અને ગુપ્ત માહિતી શેર કરી હતી. આપણે એ ન ભૂલવું જોઈએ કે ઉપરાષ્ટ્રપતિનું પદ બંધારણીય છે અને એવા ઘણા મુદ્દા છે જેને શેર કરી શકાતા નથી કારણ કે તે દેશની સુરક્ષા સાથે સંબંધિત છે.
ભાજપનો આરોપ - પાકિસ્તાને ભારત વિરુદ્ધ કામ કર્યું
તેણે આશ્ચર્ય વ્યક્ત કર્યું અને પૂછ્યું, કથિત રીતે શેર કરવામાં આવેલી માહિતીનું સ્વરૂપ શું હતું? ગૌરવ ભાટિયાએ કહ્યું કે, માહિતી એક વાર નહીં પરંતુ પાંચ વખત શેર કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે આ માહિતીનો ઉપયોગ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI [ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ] દ્વારા ભારતને નબળુ કરવા માટે કરવામાં આવ્યો હતો. ભારત આતંકવાદ વિરુદ્ધ અભિયાનનું નેતૃત્વ કરી રહ્યું છે અને કોંગ્રેસ સરકારે એક વ્યક્તિને આમંત્રણ આપ્યું છે જેને આપણા દેશ અને તેના લોકો વિશે માહિતી આપવામાં આવી છે. આ માહિતીનો ઉપયોગ અમારી વિરુદ્ધ કરવામાં આવ્યો હતો.
ભારતે સન્માન આપ્યું, બદલામાં તમે શું કર્યું?
ભાટિયાએ સવાલ ઉઠાવ્યો કે, શું કોંગ્રેસ નેતૃત્વની આતંકવાદનો સામનો કરવાની આ નીતિ હતી? તેમણે કહ્યું કે આપણા દેશ વિરુદ્ધ ઉપયોગ થઈ શકે તેવી માહિતી શેર કરવામાં આવી હતી. અંસારીને સન્માન આપવામાં આવ્યું... બદલામાં તમે શું આપ્યું.
શું છે 2010નો મામલો?
ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પાકિસ્તાની પત્રકાર મિર્ઝાના નિવેદન સાથે જોડાયેલા મીડિયા રિપોર્ટ્સને ટાંકીને કહ્યું કે, અન્સારીએ પાકિસ્તાની પત્રકારને ભારતમાં આતંકવાદ વિરોધી કોન્ફરન્સમાં હાજરી આપવા અને આતંકવાદ પર બોલવા કહ્યું અને 'આતંક સામે કેવી રીતે લડવું?' જેવા મુદ્દાઓ પર બોલવા માટે 2010માં આમંત્રિત કર્યા હતા શું આતંકવાદ સામે લડવાની તેમની આ નીતિ છે?
સુરક્ષા પર તત્કાલીન કોંગ્રેસ સરકારને આકરા સવાલો
ભાજપે પણ કોંગ્રેસ પાસેથી સવાલોના જવાબ માંગ્યા છે. પાર્ટીના પ્રવક્તા ભાટિયાએ પૂછ્યું કે, શું તમે તેમને આમંત્રણ આપીને નિયમોનું ઉલ્લંઘન કર્યું તે સાચું છે. તેમણે કહ્યું કે નિયમો સ્પષ્ટ છે કે કોઈ પણ સરકાર કે સંસ્થા દેશના હિતોની વિરુદ્ધ અથવા દેશની સુરક્ષાને નુકસાન પહોંચાડશે નહીં.
હામિદ અંસારી ભારત પ્રત્યે વફાદારી બતાવો
ગૌરવ ભાટિયાના કહેવા પ્રમાણે, હામિદ અંસારીએ જવાબ આપવો જોઈએ કે શું તમે આ વ્યક્તિને આમંત્રણ આપ્યું છે અને ઘણી ગોપનીય અને સંવેદનશીલ બાબતોને સત્તાવાર રીતે કે અનૌપચારિક રીતે શેર કરી છે? જો તમારી પાસે હોય તો... કૃપા કરીને વર્તમાન સરકાર સાથે શેર કરો જેથી તે સ્પષ્ટ થાય કે તમે ભારત માટે પ્રતિબદ્ધ છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
