જો ભારત પાસે રાફેલ હોત તો નષ્ટ થઈ ગયા હોત પાક જેટ્સ: રિટાયર્ડ એરફોર્સ ચીફ
ઈન્ડિયન એરફોર્સ (આઈએએફ) ના પૂર્વ ચીફની માનીએ તો જો આઈએએફ પાસે આજે રાફેલ હોત તો કદાચ 27 ફેબ્રુઆરીનો નઝારો કંઈક અલગ જ હોત.
ઈન્ડિયન એરફોર્સ (આઈએએફ) ના પૂર્વ ચીફની માનીએ તો જો આઈએએફ પાસે આજે રાફેલ હોત તો કદાચ 27 ફેબ્રુઆરીનો નઝારો કંઈક અલગ જ હોત. તેમણે કહ્યુ છે કે રાફેલ એ સમયે પાકિસ્તાન એરફોર્સના અડધા ફાઈટર જેટ્સને નષ્ટ કરી દીધા હોત. પૂર્વ એરફોર્સ ચીફે આ વાત એક મીડિયા હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પર આયોજિત સંમેલન દરમિયાન કહી છે. દરમિયાન તેમણે એ પણ કહ્યુ કે ભારતે કઈ રીતે પાકિસ્તાન પર દબાણ કરવુ જોઈએ અને સાથે જ આતંકવાદથી નિપટવા માટે કેવી રણનીતિ હોવી જોઈએ.

27 ફેબ્રુઆરીએ શું થયુ હતુ
એર માર્શલ (રિટાયર્ડ) એવાઈ ટિપનિસે મંગળવારે આઈએએફ માટે વધુ ફાઈટર સ્ક્વૉડ્રનની જરૂરિયાત પર જોર આપ્યુ. તેમણે કહ્યુ, '24 પાકિસ્તાની જેટ શ્રીનગર અને અવંતિપોરામાં એરબેસ પર હુમલાના હેતુસર દાખલ થયા હતા. જો તે સમયે આઈએએફ પાસે રાફેલ જેટ હોત તો પાકિસ્તાનના અડધા ફાઈટર જેટ્સ નષ્ટ થઈ ગયા હોત.' એવાઈ ટિપનિસે આ વાત 27 ફેબ્રુઆરીના રોજ થયેલા ઘટનાના સંદર્ભમાં કહી. 26 ફેબ્રુઆરીના રોજ બાલાકોટમાં થયેલા હવાઈ હુમલા બાદ પાકિસ્તાન એરફોર્સના જેટ જમ્મુ કાશ્મીરના રાજોરી હેઠળ આવનારા સુંદરબની સુધી આવી ગયા હતા. પાકના એફ-16 સહિત 24 જેટ ભારતમાં દાખલ થયા અને તેમણે ભારતની વાયુસીમાનું ઉલ્લંઘન કર્યુ.

પાક સાથે દરેક પ્રકારના સંબંધ ખતમ કરવા જોઈએ
પૂર્વ એરફોર્સ ચીફે આતંકવાદથી નિપટવા માટે વિસ્તૃત રણનીતિ વિશે પણ વાત કરી. એર માર્શલ ટિપનિસે કહ્યુ, ‘ભારતે ચૂપ ન રહેવુ જોઈએ. આ રણનીતિ સરકાર બદલવા સાથે બદલાવી ન જોઈએ. પરંતુ એક દિશાની તરફ આગળ વધવી જોઈએ.' તેમણે પાકિસ્તાન પર દબાણ કરવા માટે ભારતને આ સાથે દરેક પ્રકારના સાંસ્કૃતિક અને ખેલકૂદ સંબંધ પણ ખતમ કરવા પર જોર આપ્યુ. આ કાર્યક્રમમાં પૂર્વ સેના પ્રમુખ જનરલ (રિટાયર્ડ) વિક્રમ સિંહ પણ હાજર હતા. પૂર્વ એરફોર્સ ચીફે અહીં પર કહ્યુ કે પાકિસ્તાનમાં આતંકવાદી પોતાને દરેક કાયદાથી ઉપર સમજતા હોય છે. પાકમાં આ એક પ્રકારનો રોજગારનો રસ્તો છે.

કોણ છે એર માર્શલ ટિપનિસ
એર માર્શલ ટિપનિસનું આખુ નામ અનિલ યશવંત ટિપનિસ છે. 31 ડિસેમ્બર 1998થી 31 ડિસેમ્બર 2001 સુધી તે આઈએએફ ચીફ રહ્યા. કારગિલના યુદ્ધ દરમિયાન એરફોર્સને સારી રીતે કમાન્ડ કરવા માટે આજે પણ તેમની પ્રશંસા કરવામાં આવે છે. કારગિલ સંઘર્ષ દરમિયાન આઈએએફના જેટલે 18,000 ફૂટ પર સફળતાપૂર્વક ઑપરેશન સફેદ સાગરને અંજામ આપ્યો. આ ઉપરાંત સેનાને પણ દરેક પળે મદદ પહોંચાડી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
