રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018: સટ્ટા બજારમાં ભાજપની બલ્લે બલ્લે
સટ્ટા બજાર કે જે ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે ઘણુ ઉત્સાહી હતુ તે પ્રચાર ખતમ થયા બાદ કોંગ્રેસના પક્ષમાં નથી દેખાઈ રહ્યુ.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન શમી ગયો છે અને શુક્રવાર એટલે કે 7 ડિસેમ્બરે રાજ્યમાં મતદાન યોજાશે. પરંતુ ચૂંટણીના પરિણામ આવતા પહેલા તમામ પ્રકાર અટકળો લાગવા લાગી છે. તમામ એક્ઝિટ પોલના પરિણામો પણ સામે આવવા શરૂ થશે, પરંતુ સટ્ટા બજાર કે જે ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે ઘણુ ઉત્સાહી હતુ તે પ્રચાર ખતમ થયા બાદ કોંગ્રેસના પક્ષમાં નથી દેખાઈ રહ્યુ. રાજસ્થાનમાં ચૂંટણીની તારીખોની ઘોષણા પહેલા જ કોંગ્રેસને મજબૂત દાવેદારના રૂપમાં જોવામાં આવતુ હતુ અને તેને ભાજપના મુકાબલે ઘણુ સારુ માનવામાં આવી રહ્યુ હતુ પરંતુ ચૂંટણી પ્રચાર ખતમ થતા સાથે જ આના ઉલટા સંકેત મળી રહ્યા છે.

પ્રચાર થમી ગયા બાદ બદલાયુ વલણ
સટ્ટા બજારની વાત કરીએ તો કોંગ્રેસ ચૂંટણીની તારીખોની ઘોષણા પહેલા ભાજપથી ઘણી આગળ હતી. સટ્ટા બજાર અનુસાર કોંગ્રેસને 125-150 સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ હતુ. આનુ મોટુ કારણ માનવામાં આવી રહ્યુ હતુ લોકોમાં મુખ્યમંત્રી વસુંધરા રાજે માટેની નારાજગી. પરંતુ ચૂંટણી પ્રચાર ખતમ થતા સાથે જ ભાજપને માત્ર રાજસ્થાન નહિ પરંતુ કોલકત્તા અને રાજકોટ સટ્ટા બજારમાં પણ આગળ જોવા મળી રહ્યુ છે. ફલોદી સટ્ટા બજારે જે આંકડા રજૂ કર્યા છે તે અનુસાર ભાજપને 107-109 સીટો મળી શકે છે જ્યારે કોંગ્રેસના ખાતામાં 71-73 સીટો જઈ શકે છે.

શું કહે છે તમામ સટ્ટા બજાર
વળી, જયપુર સટ્ટા બજારની માનીએ તો અહીં ભાજપને પૂર્ણ રૂપે બહુમત મળતો દેખાઈ રહ્યો છે. જયપુર સટ્ટા બજારે ભાજપને 115-117 સીટો આપી છે જ્યારે કોંગ્રેસના ખાતામાં માત્ર 65-68 સીટો આવી છે. જ્યારે શેખાવતી સટ્ટા બજારે ભાજપને 103-105 સીટો આપી છે અને કોંગ્રેસને 54-45 સીટો આપી છે. રાજકોટ સટ્ટા બજારે ભાજપને 105-107 સીટો આપી છે અને કોંગ્રેસને માત્ર 61-63 સીટો આપી છે. જયપુર અને કોલકત્તા સટ્ટા બજારના આંકડા એકબીજાની ઘણા નજીક છે. કોલકત્તા સટ્ટા બજારે ભાજપને 112-114 સીટો આપી છે જ્યારે કોંગ્રેસને 57-59 સીટો આપી છે.

ભાજપને પૂર્ણ બહુમત
રસપ્રદ વાત એ છે કે સટ્ટા બજારના આંકડામાં બહુ વધુ અંતર નથી. માત્ર 2-3 સીટોના અંતર પર જ તમામ સટ્ટા બજારે ભાજપ અને કોંગ્રેસને સીટો આપી છે. પરંતુ સટ્ટા બજારના આંકડાની જે સૌથી મહત્વની વાત છે તે એ કે બધાએ ભાજપને પૂર્ણ બહુમત આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીના પરિણામો 11 ડિસેમ્બરે ઘોષિત કરવામાં આવશે. એવામાં અંતિમ નિર્ણય 11 ડિસેમ્બરે જ આવશે કે છેવટે મતદાતાઓને કોના પર પોતાનો ભરોસો વ્યક્ત કર્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
