સરકાર પાસે દરેક વ્યક્તિ સુધી કોરોના વેક્સીન પહોંચાડવાનુ બજેટઃ નાણા મંત્રાલય
સરકાર પાસે બધાને કોવિડ-19ની વેક્સીનની ડિલીવરી સુનિશ્ચિત કરવા પૂરતા સાધનો છે.
નવી દિલ્લીઃ દેશમાં કોરોના વેક્સીનની ટ્રાયલ ઝડપથી ચાલી રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે આ વર્ષના અંત સુધી દેશને એક કોરોના વેક્સીન મળી શકે છે. આ દરમિયાન વ્યય સચિવ ટીવી સોમનાથને કોવિડની વેક્સીનની ડિલીવરી વિશે મહત્વનુ નિવેદન આપ્યુ છે. સચિવે કહ્યુ કે સરકાર પાસે બધાને કોવિડ-19ની વેક્સીનની ડિલીવરી સુનિશ્ચિત કરવા પૂરતા સાધનો છે. એક વાર વેક્સીન આવી ગયા બાદ તે સરળથાથી દેશના દરેક નાગરિક સુધી પહોંચી જશે.

બધા સુધી વેક્સીન પહોંચાડવા માટે પૂરતુ બજેટ
વ્યય સચિવ ટીવી સોમનાથને ગુરુવારે ઈકોનૉમિક ટાઈમ્સને કહ્યુ કે અમે આ વિશે એક અનુમાન લગાવ્યુ છે અને હું તમને આ બહુ સ્પષ્ટ રીતે જણાવી શકુ કે દેશભરમાં કોરોના વેક્સીન દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચાડવામાં બજેટ કોઈ અડચણ નથી. નાણા મંત્રાલયે બધા ઉપલબ્ધ સંશાધનોના હિસાબે આ ક્ષમતા વિકસિત કરી લીધી છે. જ્યારે કોરોનાની વેક્સીન આવી જશે તો તેને દેશના દરેક વ્યક્તિ સુધી સરળતાથી પહોંચાડી શકાશે.
મફત કોરોના વેક્સીન પર કહી આ મોટી વાત
વાસ્તવમાં હાલમાં જ ઘણા એવા રિપોર્ટ સામે આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યુ હતુ કે કોરોનાની વેક્સીન આવી ગયા બાદ પણ દેશના 130 કરોડ લોકો સુધી તેને પહોંચાડવી આર્થિક અને લૉજિસ્ટીક સુવિધાા હિસાબે એક મોટો પડકાર સાબિત થઈ શકે છે. ટીવી સોમનાથને જ્યારે એમ પૂછવામાં આવ્યુ કે શું કોરોના વાયરસની વેક્સીન દેશના લોકોને મફતમાં આપવામાં આવશે. તો તેમણે એનો જવાબ આપીને કહ્યુ કે આ બાબતે નિર્ણય આરોગ્ય મંત્રાલયે લેવાનો છે.
આરોગ્ય મંત્રાલય અને નીતિ પંચ નક્કી કરશે વેક્સીનનુ વિતરણ
તેમણે એ વાતના પણ સંકેત આપ્યા કે દેશમાં ઘણા બધા લોકો એવા છે જે કોરોન વેક્સીન માટે કિંમત ચૂકવી શકે છે. સાર્વજનિક ધનનો સદૈવ વિવેક સાથે ઉપયોગ કરવો જોઈએ. કોને મફત આપવી અને કેવી રીતે - પ્રાથમિકતા નક્કી કરવાની જવાબદારી હું આરોગ્ય વિશેષજ્ઞો પર છોડી દઈશ. તેમણે કહ્યુ કે આરોગ્ય મંત્રાલય અને નીતિ પંચના સભ્ય વીકે પૉલની અધ્યક્ષતાવાળી સમિતિ વિતરણનુ વિવરણ તૈયાર કરી રહી છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
