ફારુક અબ્દુલ્લાનો વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા ઈન્કાર, ખુદ નામ પાછળ ખેચ્યુ!
નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લા આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર નહીં હોય.
નવી દિલ્હી, 18 જૂન : નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લા આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર નહીં હોય. વિપક્ષી દળોની તાજેતરની બેઠકમાં તેમના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો પરંતુ અબ્દુલ્લાએ તેમના નામ પર વિચાર ન થવો જોઈએ એમ કહીને તેમનું નામ પાછું ખેંચી લીધું છે. પોતાની ઉમેદવારી માટે વિપક્ષનો આભાર માનતા તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરને આ સમયે તેમની વધુ જરૂર છે.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ફારૂક અબ્દુલ્લાએ શનિવારે કહ્યું કે, હું ભારતના રાષ્ટ્રપતિ માટે સંભવિત સંયુક્ત વિપક્ષના ઉમેદવાર તરીકે મારું નામ પાછું ખેંચું છું. મારા નામનો પ્રસ્તાવ મુકવા માટે હું મમતા બેનર્જીનો આભારી છું. હું તે તમામ વરિષ્ઠ નેતાઓનો પણ આભારી છું જેમણે મારા નામ પર સમર્થન આપ્યું છે.
દેશના સૌથી વરિષ્ઠ રાજનેતાઓમાંના એક અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે, હું ભવિષ્યમાં સક્રિય રાજનીતિ કરવા માંગુ છું. હું માનું છું કે જમ્મુ અને કાશ્મીર એક મહત્વપૂર્ણ વળાંકમાંથી પસાર થઈ રહ્યું છે અને રાજ્યને આ અનિશ્ચિત સમયમાં તેને મદદ કરવા માટે મારા પ્રયત્નોની જરૂર છે. હું જમ્મુ-કાશ્મીર અને દેશની સેવામાં સકારાત્મક યોગદાન આપવા માટે કામ કરતો રહીશ.
15 જૂને રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પર વિપક્ષી પાર્ટીઓની બેઠક યોજાઈ હતી. વિપક્ષી નેતાઓની આ બેઠક TMC ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બોલાવી હતી. કોંગ્રેસ સહિત 17 વિપક્ષી દળોની આ બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર તરીકે પહેલા એનસીપી ચીફ શરદ પવારનું નામ રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ તેઓ પાછા હટી ગયા હતા. આ પછી મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર તરીકે મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલ ગાંધી અને ફારૂક અબ્દુલ્લાના નામનો પ્રસ્તાવ મૂક્યો. હવે અબ્દુલ્લાએ પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
દેશના આગામી રાષ્ટ્રપતિ માટે 18 જુલાઈએ ચૂંટણી યોજાશે અને પરિણામ 21 જુલાઈએ જાહેર કરવામાં આવશે. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 15 જૂને નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. 29 જૂન સુધી નામાંકન કરી શકાશે. આ પછી 18 જુલાઈએ મતદાન થશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
