કોઈ પણ કિંમતે પાછા નહિ લેવાય કૃષિ કાયદાઃ હરિયાણા CM મનોહરલાલ ખટ્ટર
હરિયાણા સીએમ ખટ્ટરે કહ્યુ કે આ લોકો સારી રીતે સમજી લે કે કેન્દ્ર સરકાર નવા કાયદામાં સુધારા માટે તૈયાર છે પરંતુ કાયદો પાછો લેવામાં નહિ આવે.
નવી દિલ્લીઃ Haryana CM Manohar Lal Khattar reacts over farmers protest at Karnal rally: હરિયાણાના કરનાલમાં ખેડૂતોના વિરોધના કારણે પોતાની રેલી રદ કરવા માટે મજબૂર થયેલા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટે વિપક્ષ પર પલટવાર કરીને રાજ્યમાં કાયદો-વ્યવસ્થા બગાડવાનો આરોપ લગાવ્યો છે. મનોહરલાલ ખટ્ટે પોતાની રેલી રદ થયા બાદ પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યુ કે વિપક્ષી પાર્ટીઓ અને ખેડૂત સંગઠનના નેતા ગુરનામ સિંહ ચઢૂની રાજ્યની જનતાને કાયદો-વ્યવસ્થા બગાડવા માટે ઉકસાવી રહ્યા છે. ખટ્ટરે કહ્યુ કે આ લોકો સારી રીતે સમજી લે કે કેન્દ્ર સરકાર નવા કાયદામાં સુધારા માટે તૈયાર છે પરંતુ કાયદો પાછો લેવામાં નહિ આવે.

કરનાલ રેલી રદ થયા બાદ ચંદીગઢમાં આયોજિત પ્રેસ કૉન્ફરન્સમાં સીએમ મનોહરલાલ ખટ્ટકે કહ્યુ, 'નવા કૃષિ કાયદા સંપૂર્ણપણે ખેડૂતોના હિતમાં છે અને કેન્દ્ર સરકાર તેને પાછા નહિ લે. આ વાત એકદમ નિશ્ચિત છે. ભલે આમાં રાજ્ય સરકારને છૂટ આપવામાં આવે પરંતુ ત્યારે પણ આ કાયદામાં માત્ર સુધારા જ થશે. પરંતુ મને નથી લાગતુ કે સરકાર આ કાયદા પાછા લેવા જઈ રહી છે. મને પૂરી આશા છે કે કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે ચાલી રહેલી વાતચીત યોગ્ય દિશામાં જઈ રહી છે અને માટે બેઠકની આગલી તારીખ નક્કી કરવામાં આવી છે.'
'કૃષિ કાયદા પર એક વર્ષની રાહ જોવી જોઈએ'
મનોહરલાલ ખટ્ટરે કહ્યુ, 'સરકાર તરફથી જ્યારે પણ કોઈ નવી યોજના બનાવવામાં આવે છે ત્યારે તેના સકારાત્મક પરિણામ આવવામાં થોડો સમય લાગી જાય છે. અમે થોડા સમયની રાહ જોઈ રહ્યા છે જો તો પણ લાગે કે કૃષિ કાયદામાં અમુક ખામીઓ છે તો અમે સરકાર પાસે જઈ શકીએ છીએ. મારુ માનવુ છે કે આપણે કૃષિ કાયદાના ફાયદાને જોવા માટે કમસે કમ એક વર્ષની રાહ જોવી જોઈએ. આજે પણ આ કૃષિ કાયદમાં કોઈ પ્રકારની અડચણ નથી. મંડીઓની વ્યવસ્થા છે, એમએસપીની પણ વ્યવસ્થા છે અને આગળ પણ ચાલુ રહેશે. ખેડૂતોને બસ વિકલ્પ આપવામાં આવ્યૈ છે કે તે પોતાના પાકને ક્યાંય પણ વેચી શકે છે.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
