કેરળમાં કોરોના મૃતકોના શબને અંતિમ સંસ્કાર માટે ઘરે લઈ જવાની મંજૂરી
કેરળની સરકારે કોરોનાથી મરનારાના શબને અંતિમ સંસ્કાર માટે ઘરે લઈ જવાની તેમના પરિવારજનોને મંજૂરી આપી દીધી છે.
નવી દિલ્લીઃ કેરળમાં કોરોના મહામારીનુ સંકટ હજુ પણ ચાલુ છે પરંતુ આ દરમિયાન કેરળની સરકારે કોરોનાથી મરનારાના શબને અંતિમ સંસ્કાર માટે ઘરે લઈ જવાની તેમના પરિવારજનોને મંજૂરી આપી દીધી છે. કેરળ સરકારના નિર્ણય બાદ હવે પરિવારજનો શબના અંતિમ સંસ્કાર સાથે જોડાયેલ રીતિ-રિવાજને પૂરા કરી શકે છે. આ પહેલા કોવિડ પ્રોટોકૉલ હેઠળ કોરોનાથી મરનારના શબને ઘરે લઈ જવાની પરિવારજનોને મંજૂરી નહોતી.

કેરળમાં કોરોના સંક્રમણનો દર ઘટવાનુ નામ નથી લઈ રહ્યો. એક તરફ જ્યારે દેશમાં સંક્રમણના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ કેરળમાં રોજ પાંચ આંકડામાં સંક્રમણના નવા કેસ આવી રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમણના સક્રિય કેસ 5.52 લાખ છે જેમાં એકલા કેરળમાં 1 લાખ છે. કેરળના મુખ્યમંત્રી પિનારયી વિજયને સમીક્ષા બેઠક કર્યા બાદ જણાવ્યુ કે મહામારી દરમિયાન સૌથી મોટો મુદ્દો હતો કે સંબંધીઓ સ્વજનોનો ચહેરો મૃત્યુ પછી જોઈ શકતા નહોતા.
મુખ્યમંત્રીએ કહ્યુ કે સરકાર ઈચ્છે છે કે કોરોનાથી મરનારના શબને તેમના પરિવારજનો અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકે અને પોતાની આસ્થા અનુસાર અંતિમ સંસ્કારની રસમો પૂરી કરી શકે. મુખ્યમંત્રીએ કહ્યુ કે રોજ સરેરાશ ટીપીઆર 10 ટકાથી ઉપર છે. અમે જલ્દી ટીપીઆરને 29.75 ટકાથી 10 ટકા સુધી લાવવામાં સફળ થયા છે પરંતુ હજુ પણ આમાં ઘટાડાની સંભાવના છે. અમારા માટે એ ચિંતાનો વિષય છે કે ટીપીઆ 10 ટકાથી નીચે નથી જઈ રહ્યો. ગયા સપ્તાહના આંકડા જોઈએ તે સક્રિય કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.
મુખ્યમંત્રીએ કહ્યુ કે કોરોનાનો ડેલ્ટા વેરિઅંટ ઘણો વધુ ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યો છે. પહેલી લહેરની તુલનામાં કોરોનાની બીજી લહેરે રાજ્યમાં ઘણી ઝડપથી પગ ફેલાવ્યા છે જેના કારણે આરોગ્ય વ્યવસ્થાને એટલી રીતે સારી ન કરી શકાય. કેરળમાં બીજી લહેર દરમિયાન કોરોના કેસોમાં ઘટાડો થતા થોડો સમય લાગશે. માટે આગળ લોકોને પ્રતિબંધોમાં છૂટ આપવાનો કોઈ આધાર નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
