પ્રેમમાં નિષ્ફળતા અને કેરિયરના લીધે જિયાએ કરી હતી આત્મહત્યા: પોલીસ
મુંબઇ, 5 જૂન: યુવા અભિનેત્રી જિયા ખાને ગળે ફાંસી ખાઇને આત્મહત્યા કરી લીધી છે અને પોલીસે દાવો કર્યો છે કે અભિનેતા દંપતીના પુત્રની સાથે પ્રેમમાં નિષ્ફળતા મળતાં તેનું દિલ તૂટી ગયું હતું જેથી સોમવારે રાત્રે જિયા ખાને આત્મહત્યા કરી લીધી હોવાનું કારણ દર્શાવ્યું છે.
પચ્ચીસ વર્ષીય જિયા ખાનના મૃતદેહને સોમવારે રાત્રે 11 વાગે જૂહૂમાં તેમના આવાસ 'સાગર સંગીત'માં ફાંસીએ લટકી ગઇ હતી. આ ઘરમાં જિયા ખાનની માતા અને બહેન રહે છે પરંતુ ઘટનાના સમયે ઘરમાં હાજર ન હતા.
પ્રાથમિક તપાસમાં થયો છે કે કલાકાર દંપતિ આદિત્ય પંચોલી અને જરીના વહાબના પુત્ર સૂરજ પંચોલી સાથે છેલ્લા એક વર્ષથી સંબંધો ધરાવતી હતી. માનવામાં આવે છે કે સૂરજના નવા પ્રેમ સંબંધ વિશે જાણ થયા બાદ જિયા ખાન ડિપ્રેશનમાં જતી રહી હતી.
તપાસકર્તાઓએ કહ્યું હતું કે પહેલી નજરમાં એવું લાગે છે કે વર્ષ 2007માં 'નિશબ્દ'માં અમિતાભ બચ્ચન સાથે પોતાના ફિલ્મી સફરની શરૂઆત કરનાર જીયા ખાને એક એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી સૂરજ સાથે સંબંધોમાં તણાવ ઉદભવતા આત્મહત્યા કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સૂરજ પંચોલી અને જિયા ખાને ગઇકાલે ફોન પર વાતચીત કરી હતી અને તેમની વચ્ચે રાત્રે 10:53 વાગે અંતિમ વખત બે મિનિટ સુધી વાતચીત થઇ હતી. ત્યારબાદ જિયા ખાને આત્મહત્યા કરી લીધી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ ઘટના રાત્રે 11 વાગ્યાથી માંડીને 11:30 વાગ્યા દરમિયાન ઘટી હતી.
સૂત્રોનું માનવું છે કે જિયા ખાન અને સૂરજ પંચોલી પર ફક્ત પોતાનો હક માનતી હતી, ગત રાત્રે તેમને મોબાઇલ ફોન પર એક બીજાને મેસેજ મોકલ્યા હતા. સૂરજે તેને ગુલદસ્તો મોકલ્યો હતો જેને જિયા ખાને સ્વિકાર્યો હતો. કહેવામાં આવે છે કે બૉલીવુડમાં પોતાના કેરિયરને લઇને નાખુશ હતી કારણ કે તેને ગત કેટલાક સમયથી કામ મળ્યું ન હતું. તેને પોતાની માતાને કહ્યું હતું કે તે બૉલીવુડમાં અભિનય ઉપરાંત ઇન્ટીરિયર ડિઝાઇનિંગનું કામ પણ કરવા માંગે છે.
તેની માતા રજિયા ખાને પોલીસને જણાવ્યું હતું કે જિયા ખાન એક ઓડિશન માટે બે જૂનના રોજ હૈદ્વાબાદ ગઇ હતી જે સારું રહ્યું ન હતું. તેની માતાએ પોલીસને કહ્યું હતું કે જિયા ખાનને વજન ઓછું કરવાની સલાહ આપી હતી. પોલીસે સૂરજ અને આદિત્ય પંચોલી સાથે સાડા ત્રણ કલાક સુધી પૂછપરછ કરી હતી અને જો જરૂરિયાત જણાશે તો તેને ફરીથી બોલાવવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
