શું તાળી વગાડવાથી ખરેખર કોરોના વાયરસ ખતમ થઈ જશે? Fact Check
શું તાળી વગાડવાથી ખરેખર કોરોના વાયરસ ખતમ થઈ જશે? Fact Check
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાવાઈરસનો ખતરો જેટલી તેજીથી વધી રહ્યો છે, તેટલી જ તેજીથી તેની સાથે જોડાયેલી અફવાઓ પણ ફેલાઈ રહી છે. એવી જ એક ખોટી જાણકારી છે કે, તાળી વગાડવાથી વાયરસ મરી જાય ચે. જેને લઈ સોશિયલ મીડિયા પર કેટલીય પોસ્ટ શેર કરવામાં આવી રહી છે, કે તાળી વગાડવાથી જે ઉર્જા અને વાઈબ્રેશન આવશે, તેનાથી વાયરસ ખતમ થઈ જશે. પરંતુ આ સત્ય નથી.

જાણો શું છે સત્ય
આ મામલે ફેક્ટ ચેકિંગ વેબસાઈટ Alt Newsના ફાઉન્ડર પ્રતીક સિન્હાએ પણ એક ટ્વીટ કર્યું. જેમાં તેમણે આવી ખોટી જાણકારી શેર કરનાર પોસ્ટનો સ્ક્રીનશૉટ શેર કર્યો. આ સ્ક્રીનશૉટને શેર કરતા તેમણે કેપ્શનમાં લક્યું છે, 'નહિ તાળી વગાડવાથી વાયરસ નથી મરતો. આવા પ્રકારની નિરર્થક પોસ્ટને એક લાખ 30 હજારથી વધુ વાર જોવામાં આવી છે. સોશિયલ મીડિયા સુધીની પહોંચવાળા લોકોએ થોડો સંયમ વરતવો જોઈએ. આ બિલકુલ બિનજવાબદારી પૂર્ણ વ્યવાહર છે.'
|
તાળી વગાડવાનું કેમ બોલવામાં આવ્યું?
જાણકારી માટે જણાવી દઈએ કે 22 માર્ચે રવિવારના દિવસે દેશભરમાં જનતા કર્ફ્યૂ લાગેલું છે. આ દરમિયાન લોકોને કહેવામાં આવ્યું કે સવારે 7 વાગ્યેથી રાતે 9 વાગ્યા સુધી ઘરેથી બહાર ના નિકળે. આની સાથે જ પોતાના સંબોધનમાં પીએમ મોદીએ એમપણ કહ્યું હતું કે જનતા કર્ફ્યૂ દરમિયાન સાંજે પાંચ વાગ્યે ઘરના દરવાજે, બારીઓ અને બાલકનીઓ પર આવી તાળી, ઘંટડી, થાળી, વગેરે વગાડે. પ્રધાનમંત્રીએ આ અપીલ એવા લોકોના સન્માનમાં કરી જે કોરોનાવાઈરસથી જંગમાં સતત પોતાનું યોગદાન આપી રહ્યા છે. જેમ કે ડૉક્ટર, નર્સ, મીડિયાકર્મી અને પોલીસ વગેરે.

ભારતમાં 324 સંક્રમિત મામલા
જણાવી દઈએ કે દુનિયાભરમાં વાઈરસના કારમે 13069થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 308547નો આંકડો પાર કરી ચૂકી છે. ભારતની વાત કરીએ તો અહીં પણ સંક્રમિત મામલાની સંખ્યા વધીને 324 થઈ ગઈ છે, જ્યારે આ મહામારીથી 5 લોકો મોતના શિકાર પણ બન્યા છે, હાલ કેન્દ્ર સરકારની સાથોસાથ રાજ્ય સરકારે પણ વાઈરસના ખાત્મા માટે પોતાના તરફથી પૂરી કોશિશ કરી રહી છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
