સુષ્મા સ્વરાજે શરૂ કર્યો પોલ, ‘શું આ પ્રકારના ટ્રોલિંગને મંજૂરી છે?'
વિદેશ મંત્રી સુષ્મા જેમને છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ખાસ કરીને ટ્વિટર પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. તેમણે એક ઓનલાઈન પોલ શરૂ કર્યુ છે.
વિદેશ મંત્રી સુષ્મા જેમને છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ખાસ કરીને ટ્વિટર પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. તેમણે એક ઓનલાઈન પોલ શરૂ કર્યુ છે. સુષ્માએ ટ્વિટર પર શરૂ કરેલ આ સર્વેમાં સોશિયલ મીડિયા યુઝર્સને પૂછ્યુ છે કે, "શું તે આ પ્રકારના ટ્રોલિંગને મંજૂરી આપે છે." રવિવારે સાંજ સુધીમાં 11 હજારથી વધુ લોકોએ આ સર્વેમાં ભાગ લીધો અને પોતાનો જવાબ આપ્યો. જ્યાં 57 ટકા લોકોએ સુષ્માનું સમર્થન કર્યુ તો 43 ટકા લોકો ટ્રોલ્સ પક્ષમાં જોવા મળ્યા.

સુષ્માના પતિએ આપ્યો જવાબ
કેટલાય દિવસો સુધી ચાલેલી ટ્રોલિંગ બાદ મામલો રવિવારે ત્યારે આગળ વધ્યો જ્યારે સુષ્મા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલે એક ટ્વિટર યુઝરના એક પોસ્ટનું સ્ક્રીન શોટ ટ્વિટ કર્યુ. આ યુઝરે સુષ્માના પતિને કહ્યુ હતુ કે તે તેમની (સુષ્મા) ની પિટાઈ કરે અને તેમને મુસ્લિમ તુષ્ટીકરણ ન કરવા અંગે શીખવાડે. લખનઉના દંપત્તિને અપમાનિત કરવાના મામલામાં લખનઉ સ્થિત પાસપોર્ટ સેવા કેન્દ્રના અધિકારી વિકાસ મિશ્રાની બદલીના એપિસોડમાં પોતાની સામે કરાઈ રહેલા અપમાનજનક ટ્વિટમાંથી અમુકને સુષ્મા રિટ્વિટ કરી રહ્યા છે. સુષ્માએ શનિવારે રાતે ટ્વિટર સર્વે શરૂ કર્યો હતો અને લોકોને પૂછ્યુ હતુ કે શું આ પ્રકારની ટ્રોલિંગ યોગ્ય છે. તેમણે ટ્વિટ કર્યુ, "મિત્રો, મે અમુક ટ્વિટ લાઈક કર્યા છે અને આ છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહ્યુ છે. શું તમે આવા ટ્વિટને મંજૂરી આપો છો.?"
સુષ્માના ટ્રોલિંગથી દુઃખી પતિ
બીજી તરફ સુષ્માના ટ્રોલિંગથી દુઃખી પતિ સુષ્મા પર મુસ્લિમ તુષ્ટીકરણનો આરોપ લગાવનાર વ્યક્તિને જવાબ આપતા પતિ સ્વરાજ કૌશલે કહ્યુ કે આ પ્રકારના શબ્દોએ તેમના પરિવારને અસહનીય દુઃખ આપ્યુ છે. સુષ્માના પતિ સ્વરાજ કૌશલે ટ્વિટ કર્યુ, "તમારા શબ્દોએ અમને અસહનીય દુઃખ આપ્યુ છે. તમને એક વાત જણાવી દઉ કે 1993 માં મારી મા નું કેન્સરથી નિધન થઈ ગયુ. સુષ્મા એક સાંસદ અને પૂર્વ શિક્ષા મંત્રી હતા. તે એક વર્ષ સુધી હોસ્પિટલમાં રહ્યા. તેમણે મેડીકલ એટેન્ડન્ટ લેવાનો ઈનકાર કરી દીધો અને મારી મરતી મા ની જાતે સારસંભાળ કરી. જાણીતા વકીલ સ્વરાજ કૌશલે કહ્યુ, "પરિવાર પ્રત્યે તેમનું (સુષ્માનું) આ પ્રકારનું સમર્પણ છે. મારા પિતાની ઈચ્છા અનુરૂપ તેમણે મારા પિતાની ચિતાને મુખાગ્નિ આપી. મહેરબાની કરીને તેમના માટે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ ન કરો. અમે કાયદો અને રાજકારણમાં પ્રથમ પેઢી છીએ. અમે તેમના જીવનથી વિશેષ કોઈ બીજી વસ્તુ માટે પ્રાર્થના નથી કરતા. મહેરબાની કરીને પોતાની પત્નીને મારા તરફથી અગાધ સમ્માનથી અવગત કરાવો." વિદેશ મંત્રી સુષ્માએ પણ તે વ્યકિતના કેટલાક ટ્વિટને રીટ્વિટ કર્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
