ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં વિસ્ફોટ, 9 ઘાયલ
રિપોર્ટ્સ અનુસાર ટ્રેન નંબર 59320 ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેન શાજાપુર વિસ્તારમાં જબ્દી સ્ટેશન પાસે પહોંચી જ હતી કે અચાનક તેમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ સવારે લગભગ 9.50 વાગે થયો હતો.
મધ્ય પ્રદેશ ના શાજાપુરમાં મંગળવારે ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં ધમાકો થતાં દોડધામ થઇ ગઇ હતી. આ વિસ્ફોટને કારણે ઘબરાયેલા યાત્રીઓ ચાલતી ટ્રેનમાંથી કૂદી પડ્યાં હતા. આ ઘટનામાં 9 લોકો ઘાયલ થયા હતા, જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વિસ્ફોટને કારણે ઉડી ગઇ છત
રિપોર્ટ્સ અનુસાર ટ્રેન નંબર 59320 ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેન શાજાપુર વિસ્તારમાં જબ્દી સ્ટેશન પાસે પહોંચી જ હતી કે અચાનક તેમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ સવારે લગભગ 9.50 વાગે થયો હતો. આ વિસ્ફોટને કારણે કોચની છત અને ફ્લોરિંગમાં મોટું છિદ્ર પડી ગયું હતું, શરૂઆતની તપાસમાં કોચમાંથી ગન પાઉડર જેવો સામાન મળી આવ્યો હતો.
ગૃહમંત્રીએ આપ્યો તપાસનો આદેશ
મધ્ય પ્રદેશના ગૃહમંત્રી ભૂપેન્દ્ર સિંહે આ ઘટનાની તપાસ કરવાના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ ઘટનામાં 9 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ બાદ આગ લાગવાને કારણે દોડાદોડ થઇ ગઇ હતી અને કેટલાક યાત્રીઓ ચાલતી ટ્રેનમાંથી કૂદી ગયા હતા. કેટલાક યાત્રીઓએ ચેન ખેંચીને ટ્રેન રોકી હતી. આ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને કાલાપીપલ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અહીં વાંચો - 3 કલાક ચાલી જેઠમલાણી અને જેટલીની દલીલ, જેટલી થયા ભાવુક
સૂટકેસમાં વિસ્ફોટ થયો હોવાનો દાવો
રેલવેના ભોપાલ ડિવિઝનના પીઆરઓ આઇ.એ.સિદ્દીકીએ જણાવ્યું કે, મેડિકલ ટીમને ઘટનાસ્થળે મોકલી આપવામાં આવી છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રેલવે પોલીસની એસપી કૃષ્ણા વેણીએ કહ્યું કે, શરૂઆતની તપાસમાં શોર્ટ-સર્કિટને કારણે આગ લાગી હોવાની વાત સામે આવી હતી. એક સૂટકેસમાં ધમાકો થયો હોવાનો દાવો પણ કેટલાક લોકોએ કર્યો હતો. આ મામલાની તપાસ થઇ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
