યોદી આદિત્યનાથ મસ્તનાથ મઠની હરડ પુજા માટે પહોંચ્યા, કહ્યું-ધર્મ બચાવવા બધાનું યોગદાન જરૂરી
રોહતકના અસ્થલ બોહરમાં સ્થિત શ્રી બાબા મસ્તનાથ મઠ ખાતે હરડ પુજાનું આયોજન કરાયુ હતું. આ પુજામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાજરી આપી હતી. અહીં યોગી આદિત્યનાથે ધર્મ બચાવવા માટે હુંકાર ભરી હતી.
નાથ સંપ્રદાયના વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે હરડ પૂજા સંપન્ન થયા બાદ ગુરુ મહારાજ મહંત પીરચંદ નાથ યોગીની સ્મૃતિમાં આત્મા ભંડારા, શંખધલ અને દેશ મેળાની તારીખો પણ નક્કી કરવામાં આવી હતી.

અહીં યોગી આદિત્યનાથે કહ્યું કે, આપણા માટે સૌભાગ્યની વાત છે કે નાથ સંપ્રદાય સૌથી પ્રાચીન સંપ્રદાયોમાંથી એક છે. યોગી ચાંદનાથ મહારાજ લાંબા સમયથી આપણી સાથે નથી પરંતુ તેમના માર્ગદર્શન હેઠળ નાથ સંપ્રદાયની વિશેષ પદ્ધતિ આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે, મહંત ચાંદનાથ મહારાજે ધર્મ, દેશ, સંપ્રદાય, જાહેર મૂલ્યો અને આદર્શોની વ્યવસ્થાને આગળ વધારવાનું કામ કર્યું છે.
અહીં યોગી આદિત્યનાથે એક કિસ્સો સંભળાવતા કહ્યું કે, તે બે વર્ષ પહેલા અયોધ્યા ગયા હતા. સવારે 3-4 વાગ્યાની વચ્ચે જ્યારે મેં મારી આંખ ખોલી તો મેં જોયું કે કોઈનો અવાજ આવી રહ્યો હતો અને એવું લાગી રહ્યું હતું કે બદ્રીનાથમાં સિદ્ધ બાબા સુંદરનાથજી દેખાઈ રહ્યા છે. બીજા જ દિવસે તેઓ બદ્રીનાથ ધામ ગયા અને ત્યાં જોયું કે મંદિરની પાછળ સિદ્ધ બાબા સુંદરનાથની ગુફા હયાત છે.
યોગીએ કહ્યું કે, ત્યાં જઈને ગુફાના રિનોવેશનનું કામ કરાવ્યું. નાથ સંપ્રદાયનો કોઈપણ અનુયાયી ભારતના કોઈપણ ખૂણામાં જાય તો તેને દરેક જગ્યાએ નાથ સંપ્રદાયના યોગેશ્વર જોવા મળશે.
અહીં યોગીએ કહ્યું કે, કોઈએ સનાતન ધર્મનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. નાથ સંપ્રદાયના ઉપદેશોને અનુસરીને સફળતા તરફ આગળ વધો. મહંત ચાંદનાથ યોગીએ પૂજ્ય ગુરુદેવ શ્રેયનાથ પાસેથી શિક્ષણ, ચિકિત્સા અને અધ્યાપન ક્ષેત્રે જે કંઈ મેળવ્યું તેને આધાર બનાવીને જીવનના અનેક નોંધપાત્ર કાર્યોમાં પોતાનું યોગદાન આપ્યું છે.
તેમણે આગળ જણાવ્યુ કે, લાયક શિષ્યને લાયક શિક્ષક પાસેથી વારસો મળે છે. આ પરંપરાને અનુસરીને વર્તમાન મહંત અને અલવરના સાંસદ મહંત બાલકનાથ યોગી તેમના ગુરુ ચાંદનાથ યોગીના માર્ગ પર ચાલીને શિક્ષણ, ચિકિત્સા અને આધ્યાત્મિકતામાં નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
