ઈયૂ સભ્યો સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું- આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટેલરેન્સ હોવું જોઈએ
ઈયૂ સભ્યો સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું- આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટેલરેન્સ હોવું જોઈએ
યૂરોપીય સંઘના સભ્યોના 28 સભ્યોના પ્રતિનિધિમંડળે આજે પીએમ મોદીની તેમના આવાસે મુલાકાત કરી છે. આ સભ્યોની મુલાકાત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે પણ થઈ છે. આ દરમિયાન તેમણે કાશ્મીર મુદ્દા પર ચર્ચા કરી અને અનુચ્છેદ 370 હટાવ્યા બાદની ત્યાંની સ્થિતિ વિશે જાણ્યું.

પીએમ મોદીએ ભારત સાથે ઈયૂના સંબંધોના મહત્વના વખાણ કર્યાં. જે પોતાના કાર્યકાળની શરૂઆતમાં જ ભારતના પ્રવાસ પર છે. પીએમઓએ જણાવ્યું કે પીએમ મોદીએ આશા વ્યક્ત કરી છે કે જમ્મુ-કાશ્મીર હિત બાકીના ભારતનો તેમનો પ્રવાસ સારો રહે.
જમ્મુ-કાશ્મીરની તેમની યાત્રાથી પ્રતિનિધિમંડળને ક્ષેત્રની સાંસ્કૃતિક અને ધાર્મિક વૈવિધતાની સારી સમજ મળશે. આ ઉપરાંત તેમને ક્ષેત્રના વિકાસ અને શાસનની પ્રાથમિકતાઓનો એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ પણ મળશે.
પ્રધાનમંત્રી મોદીએ ઈયૂના સભ્યો સાથે વાતચીત કરી અને કહ્યું કે આતંકવાદીઓનું સમર્થન કાંતો પ્રાયોજિત કરનાર અથવા તો આવી ગતિવિધિઓ અને સંગઠનોનું સમર્થન કરનાર અથવા નીતિના રૂપમાં આતંકવાદનો ઉપયોગ કરનાર વિરુદ્ધ તત્કાળ કાર્યવાહી કરવી જોઈએ. આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરેન્સ હોવું જોઈએ. તેમણે કહ્યું કે નિષ્પક્ષ અને સંતુલિત દ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણ સમજૂતી મારી સરકારની પ્રાથમિકતા છે.
આ પેનલ 29 ઓક્ટોબરે કાશ્મીરનો પ્રવાસ કરશે. જણાવી દઈએ કે પાંચ ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 સમાપ્ત કરી દેવામાં આવ્યો હતો. જે બાદ પાકિસ્તાને આ મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાની ઘણી કોશિશો કરી અને ભારત પર કેટલાય પ્રકારના આરોપો પણ લગાવ્યા હતા. પરંતુ ઈયૂ નેતાઓની આ મુલાકાત બાદ બધું સ્પષ્ટ થઈ જશે.
અનુચ્છેદ 370 હટ્યા બાદથી આ વિદેશી પ્રતિનિધિમંડળનો પહેલો કાશ્મીર પ્રવાસ હશે. જો કે અત્યાર સુધી ભારત તરફથી કોઈપણ વિદેશી પ્રતિનિધિમંડળને જમ્મુ-કાશ્મીર જવાની મંજૂરી આપવામાં આવી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે આ સભ્યોને અજીત ડોભાલે નિમંત્રણ આપી દીધું હતું. આ એક યૂરોપિયન એનજીઓ આ સમગ્ર પ્રવાસ આયોજિત કરી રહી છે.
આ સભ્યોમાંથી એક બીએન ડને કાશ્મીર પ્રવાસ પર કહ્યું, 'હા અમે કાલે ત્યાં જઈ રહ્યા છીએ. પીએમ મોદીએ અમને અનુચ્છેદ 370 હટાવવા વિશે વિસ્તારથી જણાવ્યું છે પરંતુ હું જમીની સ્તર પર જોવા માંગું છું કે આ હકિકતમાં કેવું છે અને કેટલાક સ્થાનિક લોકો સાથે વાતચીત કરવા પણ માંગું છું. અમે બધા માટે શાંતિ અને સામાન્ય સ્થિતિ ઈચ્છીએ છીએ.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં









Click it and Unblock the Notifications
