113 એન્કાઉન્ટર કરનાર ઈંસપેક્ટર પ્રદિપ શર્માએ રાજીનામું આપ્યું, રાજકારણમાં પ્રવેશી શકે
113 એન્કાઉન્ટર કરનાર ઈંસપેક્ટર પ્રદિપ શર્માએ રાજીનામું આપ્યું, રાજકારણમાં પ્રવેશી શકે
નવી દિલ્હીઃ 100થી વધુ એન્કાઉન્ટર કરનાર જાણીતા પોલીસ ઈંસપેક્ટર પ્રદીપ શર્માએ મહારાષ્ટ્ર પોલીસમાંથી રાજીનામું આપી દીધું છે. પ્રદીપ થાણે ક્રાઈમ બ્રાંચમાં પોસ્ટેડ હતા અને તેમણે પોતાનું રાજીનામું અધિકારીને સોંપી દીધું છે. કહેવાય રહ્યું છે કે પ્રદીપ આગામી વિધાનસભામાં શિવસેનાની ટિકિટ પરથી ચૂંટણી લડી શકે છે. અહેવાલો મુજબ અંધેરી, સાકીનાકા અને નાલાસોપારા-આ ત્રણ સીટમાંથી કોઈ એક સીટ પર તેમને ઉમેદવાર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

આ માટે વર્ષો સુધી સસ્પેન્ડ રહ્યા પ્રદીપ શર્મા
પ્રદીપ શર્મા હાલમાં જ કેટલાય વર્ષોના સસ્પેન્શન બાદ નોકરી પર પરત ફર્યા હતા. જણાવી દઈએ કે પ્રદીપને ગેંગસ્ટર લખન ભઈયાનું ફેક એન્કાઉન્ટરના આરોપસર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. પ્રદીપ શર્મા સાથે આ મામલે કુલ 13 પોલીસ કર્મચારીઓને 2008માં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2013માં આવેલ ફેસલામાં પ્રદીપ શર્માને દોષમુક્ત કરી દેવામાં આવ્યા અને તેઓ નોકરીમાં પરત ફર્યા. તે સમયે તત્કાલીન કોંગ્રેસ-એનસીપી સરકાર તેમને બીજીવાર સેવામાં લેવાની ઈચ્છુક નહોતી, પરંતુ તેમણે જ્યારે ચેતવણી આપી કે જો તેમને બીજીવાર સેવામાં ન લીધા તો તેઓ રાજનીતિ જોઈન કરી લેશે, જે બાદ તેમને ફરી તેમની પોસ્ટ આપી દેવામાં આવી.

અંડરવર્લ્ડમાં છે પ્રદીપ શર્માનું ખાસ નેટવર્ક
પ્રદીપ શર્મા એટલા માટે પણ પ્રસિદ્ધ છે કેમ કે અંડરવર્લ્ડમાં તેમનું ખાસ નેટવર્ક છે. પ્રદીપ શર્માએ વર્ષ 2983માં પોલીસમાં સેવા શરૂ કરી હતી. 90ના દશકામાં તેઓ મુંબઈ ક્રાઈમ બ્રાંચ ટીમનો ભાગ બન્યા. આ એજ ટીમ હતી જેમને મુંબઈમાં અંડરવર્લ્ડ ખતમ કરવા માટે કંઈપણ કરવાની પૂરી છૂટ આપવામાં આવી હતી. આ ટીમમાં સામેલ તમામ અધિકારી એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ કહેવાતા હતા. 90ના દશકામાં આ ટીમે 300 ગેંગસ્ટરને ઠાર માર્યા હતા.

શર્માની ટીમના અધિકારીઓ વિવાદોમાં ઘેરાતા રહ્યા
મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમને લઈ બૉલીવુડમાં કેટલીય ફિલ્મો બની ચૂકી છે. આ પોલીસ અધિકારીઓને ગ્લેમર સાથે જોડવામાં આવ્યા. બાદમાં આ ટીમના કેટલાય અધિકારીઓ વિવાદોમાં ઘેરાતા રહ્યા. પ્રદીપ શર્માની જ બેચ 1983ના બીજા એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ વિજય સાલસકર અને પ્રફુલ્લ ભોંસલે પણ રહ્યા. પ્રદીપ શર્માએ કુલ 113 એન્કાઉન્ટર કર્યાં છે. ગેંગસ્ટર લખન ભઈયાના ફેક એન્કાઉન્ટરને પગલે કેટલાક વર્ષ તેઓ જેલમાં પણ રહ્યા. પ્રદીપ લાંબો સમય અંધેરી સીઆઈયૂમાં કામ કર ચૂક્યા છે. જેમના પર બેનલ ફિલ્મ અબ તક છપ્પન બહુ ચર્ચિત રહી ચૂકી છે. જણાવી દઈએ કે જો પ્રદીપ શર્મા અત્યારે નોકરી ન છોડત તો વર્ષ 2020માં તેઓ રિટાયર થવાના હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
