ઈંસેફિલાઈટિસથી બાળકોના મોત પર સુપ્રીમ કોર્ટનું આકરુ વલણ, કેન્દ્ર, બિહાર, યુપી સરકારને નોટિસ
બિહારના મુઝફ્ફરપુરમાં એક્યુટ ઈંસેફિલાઈટસ સિંડ્રોમ (ચમકી તાવ) થી મરનાર બાળકોની સંખ્યા 130 સુધી પહોંચી ગઈ છે. આ બાબતે સુપ્રીમ કોર્ટે પણ આકરુ વલણ અપનાવ્યુ છે.
બિહારના મુઝફ્ફરપુરમાં એક્યુટ ઈંસેફિલાઈટસ સિંડ્રોમ (ચમકી તાવ) થી મરનાર બાળકોની સંખ્યા 130 સુધી પહોંચી ગઈ છે. આ બાબતે સુપ્રીમ કોર્ટે પણ આકરુ વલણ અપનાવ્યુ છે. સુપ્રીમ કોર્ટે સોમવારે ઉત્તરપ્રદેશ, બિહાર અને કેન્દ્ર સરકારને ઈંસેફિલાઈટસથી બાળકોની મોત માટે નોટિસ આપી છે. કોર્ટે સાત દિવસની અંદર આ સોગંદનામુ દાખલ કરવા જણાવ્યુ છે.

સુપ્રીમ કોર્ટે પાઠવી નોટિસ
સુપ્રીમ કોર્ટે પોતાની નોટિસમાં કહ્યુ કે કેન્દ્ર, બિહાર અને યુપી સરકારને પૂછ્યુ કે ઈંસેફિલાઈટિસથી થઈ રહેલ બાળકોના મોતને અટકાવવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે. તેમની પાસે કોર્ટમાં ઈંસેફિલાઈટસથી પીડિત બાળકોના સાર્વજનિક આરોગ્ય, પોષણ અને સ્વચ્છતા સાથે સંબંધિત સુવિધાઓનું વિવરણ માંગ્યુ છે. સાત દિવસની અંદર સરકારો પાસેથી સોગંદનામુ દાખલ કરવા માટે કહેવામાં આવ્યુ છે. આરોગ્ય મંત્રાલયના અનુમાન અનુસાર મગજના તાવના 5-35 ટકા કેસમાં જાપાની તાવ વાયરસના કારણે થાય છે.

130 પર પહોંચ્યો આંકડો
બિહારમાં એક્યુટ ઈંસેફિલાઈટીસ સિંડ્રોમ (ચમકી તાવ)ના કારણે થતા બાળકોના મોત નથી અટકી રહ્યા. આ બિમારીથી મૃતકોની સંખ્યા 130 થઈ ગઈ છે. અધિકૃત આંકડાઓ મુજબ મુઝફ્ફરપુરના શ્રીકૃષ્ણ મેડીકલ કોલેજ અને હોસ્પિટલમાં અત્યાર સુધી 110 બાળકોના મોત નીપજ્યા છે. વળી, મુઝફ્ફરપુરના કેજરીવાલ હોસ્પિટલમાં પણ 20 બાળકોના મોત ચમકી તાવના કારણે થઈ ગયા છે.

નીતીશ સરકાર નિશાના પર
ચમકી તાવના કારણે બાળકોના મોત બાદ બિહારના સીએમ નીતીશ કુમાર સવાલોના ઘેરામાં છે. રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (આરએલએસપી)ના નેતા ઉપેન્દ્ર કુશવાહાએ મુઝફ્ફરનગરમાં બાળકોના મોત માટે નીતીશ કુમારને જવાબદાર ગણાવ્યા છે. તેમણે કહ્યુ કે નીતીશ કુમારના સીએમ પદેથી રાજીનામુ આપી દેવુ જોઈએ. બિહારની નીતીશ સરકારે પહેલી વાર ચમકી તાવ વિશે કાર્યવાહી કરીને એસકેએમસીએચ હોસ્પિટલના સીનિયર રેસિડેન્ટ ડૉક્ટર ભીમસેનને સસ્પેન્ડ કરી દીધા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
