નીતિ આયોગના ઉપાધ્યક્ષે રાહુલ ગાંધી પર ઉઠાવ્યો સવાલ, ECએ મોકલી નોટિસ
નીતિ આયોગના VCએ રાહુલ ગાંધી પર ઉઠાવ્યો સવાલ, ECએ મોકલ નોટિસ
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જેવી રીતે દેશના દરેક ગરીબોને દર મહિને 12000 રૂપિયા આપવાની ન્યૂનતમ આવકને સુનિશ્ચિત કરવાની ઘોષણા કરી તેના પર નીતિ આયોગના વીસીને ટિપ્પણી કરવી મોંઘી પડી ગઈ. ચૂંટણી પંચે નીતિ આયોગના વીસી રાજીવ કુમારને તેમના નિવેદન બદલ કારણ દર્શાવો નોટિસ મોકલી છે. ચૂંટણી પંચે કહ્યું કે નીતિ આયોગના વીસીનું નિવેદન આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. આચાર સંહિતા લાગુ થયા બાદ કોઈપણ સરકારી કર્મચારી સરકારના સમર્થનમાં નિવેદન ન આપી શકે, ચૂંટણી પંચે રાજીવ કુમાર પાસેથી 2 દિવસમાં જવાબ માંગ્યો છે.

યોજના પર ઉઠાવ્યો હતો સવાલ
જણાવી દઈએ કે રાજીવ કુમારે ટ્વીટ કરી કોંગ્રેસના ન્યૂનતમ આવક યોજના પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે લખ્યું કે કોંગ્રેસ પાર્ટીએ 1971માં ગરીબી હટાવો, 2008માં ઓઆરઓપી, 2013માં ખાદ્ય સુરક્ષા બિલનો વાયદો કરી ચૂંટણી જીતી હતી પરંતુ તેઓ આ વાયદાઓ પૂરા નહોતા કરી શક્યા. કંઈક આવી જ રીતે અલોકપ્રિય પગલું છે ન્યૂનતમ આવક યોજના. અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું કે ન્યૂનતમ આવક પર કુલ ખર્ચ જીડીપીના 2 ટકા અને કુલ બજેટના 13 ટકા છે. એવામાં આ યોજના એ વાતને સુનિશ્ચિત કરશે કે લોકોની વાસ્તવિક જરૂરિયાતો પૂરી નહિ થઈ શકે.

રાહુલ ગાંધીએ કર્યું હતું એલાન
જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ આ યોજનાનું એલાન કરતા કહ્યું હતું કે જે કોઈપણ ગરીબ પરિવાર દર મહિને 12000થી ઓછી આવક કરતો હશે અેમ તેના બેંક અકાઉન્ટમાં આ રૂપિયા મોકલશું. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે ગરીબી પર આ નિર્ણાયક હુમલો છે જે દેશના 25 કરોડ લોકોને ફાયદો પહોંચાડશે. એક ઈન્ટર્વ્યૂમાં રાજીવ કુમારે કહ્યું કે કોંગ્રેસની આ નીતિથી દેશની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડશે અને નાણાકીય નુકસાન વધશે.

અર્થવ્યવસ્થા પર પડશે ખરાબ અસર
રાજીવ કુમારે કહ્યું કે રાહુલ ગાંધીએ આ એલાન નહોતું કરવું જોઈતું. આના કારણે આપણી ક્રેડિટ રેટિંગ પર અસર પડશે, એટલું જ નહિ કોસ્ટ બોરોવિંગ પર પણ અસર પડશે. મોદી સરકારની કિસાન યોજના પૂરી રીતે અલગ છે, આ યોજના પૂરી રીતે ચિન્હિત ગરીબ ખેડૂતો માટે છે. જણાવી દઈએ કે નીતિ આયોગના અધ્યક્ષ પીએમ નરેન્દ્ર મોદી છે. નીતિ આયોગને સરકારની થિંક ટેન્ક માનવામાં આવે છે. નાણામંત્રી અરુણ જેટલીએ પણ રાહુલ ગાંધીના આ એલાનની ટિકા કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
