EDને મળ્યા નિરવ મોદીના સ્ટીલના 176 કબાટ, 30 કરોડનું બેંક બેલેન્સ ફ્રીઝ
શુક્રવારે નિરવ મોદીના લગભગ 30 કરોડ રૂપિયાના બેંક બેલેન્સ ફ્રીઝ કર્યા. આ સિવાય ઇડીએ નિરવ મોદીની કંપનીના 13.86 કરોડ રૂપિયાની કિંમતના શેર પણ ફ્રિઝ કર્યા છે.
દેશની રાજકારણમાં ભૂકંપ લાવનાર અને બેંકિગ ક્ષેત્રે પીએનબી બેંકમાં 11400 કરોડ રૂપિયાનું કૌભાંડ કરનાર નિરવ મોદી પર હવે ઇડી સખત કાર્યવાહી કરી રહી છે. હાલમાં કરવામાં આવેલી કાર્યવાહી મુજબ શુક્રવારે નિરવ મોદીના લગભગ 30 કરોડ રૂપિયાને ફ્રીઝ કરવામાં આવ્યા છે. આ નાણાં નિરવ મોદીની વિવિધ બેંકોના બેંક બેલેન્સમાં હતા. આ સિવાય ઇડીએ નિરવ મોદીની કંપનીના 13.86 કરોડ રૂપિયાની કિંમતના શેર પણ ફ્રિઝ કર્યા છે. આ કાર્યવાહીમાં ઇડીએ નિરવ મોદીના 176 સ્ટીલના કબાટ અને 60 પ્લાસ્ટિક કન્ટેનરોને પણ જપ્ત કર્યા છે. ઇડીને આ કન્ટેનરોમાં મોંધી વિદેશી ધડિયાળો મળી છે. સાથે જ આ કબાટો ખોલવાનું કામ પણ હાલ ચાલુ છે. ગુરુવારે પણ ઇડીએ કરેલ મોટી કાર્યવાહીમાં નિરવ મોદીની 9 લક્ઝરી કારને જપ્ત કરવામાં આવી હતી. આ કારોની કિંમત કરોડો રૂપિયામાં માનવામાં આવે છે.

ઇડીએ જે કારોને જપ્ત કરી છે તેમાં એક રોલ્સ રોયલ, બે મસિર્ડિઝ બેંન્ઝ જીએલ 350, સીડીઆઇએસ, એક પોર્શ પનામેરા, 3 હોન્ડા કાર, એક ટોયોટા ફોરચ્યૂનર અને એક ટોયોટા ઇનોવા છે. એટલું જ નહીં ઇડીએ ગુરુવારે મેહુલ ચૌકસી ગ્રુપના 86.72 કરોડ રૂપિયાના મ્યુચુઅલ ફંડ પણ ફ્રીઝ કર્યા હતા. તમને જણાવી દઇએ કે પીએનબીમાં 11400 કરોડનું કૌભાંડ કરીને નિરવ મોદી દેશ છોડીને ભાગી ચૂક્યો છે. અને હાલ સીબીઆઇ અને ઇડી તેની વિરુદ્ધ કામ કરી રહી છે.

વળી ગત બુધવારે તેમના વકીલ દ્વારા પણ એમ કહેવામાં આવ્યું હતું કે નિરવ મોદી દેશ છોડીને નથી ભાગ્યા. તેમનો વિદેશમાં પણ વેપાર છે અને તે વધુ સમય વિદેશમાં જ રહે છે. વિજય અગ્રવાલે કહ્યું કે કોઇ પણ વ્યક્તિ 5000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છોડીને કેમ ભાગે? મીડિયાથી વાત કરતા વિજય અગ્રવાલે કહ્યું કે તપાસ એજન્સીઓ અને મીડિયા આવા ખોટા આરોપ લગાવી રહી છે. અદાલતમાં આમાંથી કોઇ પણ આરોપ સાબિત નહીં કરી શકે. વકીલે સાથે જ વિશ્વાસ વ્યક્ત કર્યો કે નિરવ મોદીને દોષી કરાર નહીં કરવામાં આવે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
