જળપ્રલય બાદ ઉત્તરાખંડમાં ભૂકંપના ઝટકા
દેહરાદૂન, 27 જૂન : ઉત્તરાખંડમાં હજી તો જળપ્રલય દ્વારા થયેલી તબાહીમાંથી ઉગરી શકાયું નથી અને બીજી સમસ્યાઓ સામે આવી રહી છે. એક તરફ બચાવકામગીરી તેના અંતિમ ચરણમાં છે અને ખરાબ હવામાનના કારણે તેમાં પણ વિક્ષેપ આવી રહ્યો છે, હજી પણ 1800 જેટલા લોકો ફસાયેલા છે. આ બધાની વચ્ચે ઉત્તરાખંડમાં ભૂકંપના ઝટકાઓના સમાચારે સૌને અચંબામાં નાખી દીધા છે.
ઉત્તરાખંડના પિથૌરાગઢમાં ગુરુવારે હળવા ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી હતી. જોકે તે હળવા ઝટકા હતા, પરંતુ આ સમયે રાજ્ય જે રીતે કુદરતનો કહેરમાંથી પસાર થઇ રહ્યું છે તેનાથી ચિંતામાં વધારો થવો સ્વાભાવિક છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પૂરના આજે 13માં દિવસે પણ ઉત્તરાખંડમાં આજે સવાર સુધી 5 હજાર જેટલા લોકો ફસાયેલા હોવાના સમાચાર હતા. જે હવે માત્ર 1800 જ રહ્યા છે, માટે બચાવકામગીરી પૂર્ણ થવાના આરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
