ભૂકંપના ઝટકાથી ધ્રૂજ્યો અંદમાન ટાપુ, તીવ્રતા 4.5 રિક્ટર સ્કેલ
બુધવારની સવારે દેશના અલગ અલગ હિસ્સામાં ભૂકંપના ઝટકા અનુભવાયા. જો કે ક્યાંય પણ કોઈ પણ પ્રકારના નુકશાનના સમાચાર નથી.
બુધવારની સવારે દેશના અલગ અલગ હિસ્સામાં ભૂકંપના ઝટકા અનુભવાયા. જો કે ક્યાંય પણ કોઈ પણ પ્રકારના નુકશાનના સમાચાર નથી. જાણકારી અનુસાર હિમાચલ પ્રદેશના કાંગડા, મહારાષ્ટ્રના પાલઘર અને અંદમાનમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. દ્વીપ સમૂહ અંદમાનમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપના તીવ્રતા 4.5 મેગ્નીટ્યુડ માપવામાં આવી છે. બીજી તરફ કાંગડામાં ભૂકંપના ઝટકા લાગતા જ લોકોમાં દહેશત ફેલાઈ ગઈ. લોકો પોતાના ઘરોમાંથી નીકળીને બહાર આવી ગયા અને કલાકો સુધી પાછા આવવાની હિંમત કરી શક્યા નહિ. વળી, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 મેગ્નીટ્યુડ માપવામાં આવી.

આઠ દિવસમાં ત્રણ વાર ભૂકંપ
ભૂકંપના કેન્દ્ર કાંગડા ક્ષેત્રમાં જ સપાટીથી 5 કિલોમીટર નીચે હતુ. તમને જણાવી દઈએ કે હિમાચલમાં ગયા આઠ દિવસમાં ત્રણ વાર ભૂકંપ આવ્યો છે. આ પહેલા 5 ફેબ્રુઆરીએ ચંબા અને મંડીમાં ભૂકંપ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભૂકંપ માટે હિમાચલ અતિ સંવેદનશીલ ઝોન 4 તેમજ 5માં આવે છે. મંડી, શિમલા અને ચંબા આ ઝોનમાં શામેલ છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના પાલઘરમાં બુધવારે ભૂકંપના ઝટકા નોંધવામાં આવ્યા.
|
લોકો દહેશતમાં આવી ઘરોમાંથી બહાર નીકળી ગયા
રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 3.1 માપવામાં આવી. હવામાન વિભાગના એક અધિકારીએ મીડિયાને જણાવ્યુ, ‘પાલઘરના ઘણા વિસ્તારોમાં સવારે 10.44 વાગે અમુક સેકન્ડ સુધી ઝટકા નોંધવામાં આવ્યા.' તમને જણાવી દઈએ કે મંગળવારે બંગાળની ખાડીમાં ભૂકંપ આવ્યો હતો જેના ઝટકા તમિલનાડુના અમુક વિસ્તારોમાં પણ અનુભવવામાં આવ્યા હતા. બંગાળની ખાડીમાં ભૂકંપ સવારે 7.02 કલાકે આવ્યો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. ભૂકંપના ઝટકા ચેન્નઈમાં પણ અનુભવાયા હતા. જેના કારણે લોકો દહેશતમાં આવી ગયા અને પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા.
|
કેમ આવે છે ભૂકંપ
આ ધરતી મુખ્ય રીતે ચાર સ્તરની બનેલી છે જેને ઈનર કોર, આઉટર કોર, મેન્ટલ અને ક્રસ્ટ કહેવામાં આવે છે. ક્રસ્ટ અને ઉપરના મેન્ટલને લિથોસ્ફેર કહેવામાં આવે છે. આ 50 કિલોમીટરના મોટા સ્તર હોય છે જેમને ટેક્ટોનિક પ્લેટ્સ કહેવામાં આવે છે. આ ટેક્ટોનિક પ્લેટ્સ પોતાની જગ્યાએથી હલતી રહે છે, ફરતી રહે છે અને ખસતી રહે છે.
આ પ્લેટ્સ લગભગ દર વર્ષે લગભગ 4-5 મિમી સુધી પોતાના સ્થાનથી ખસી જાય છે. આ ક્ષિતિજ અને ઉર્ધ્વાધર, બંને રીતે પોતાની જગ્યાએથી હલી શકે છે. આ ક્રમમાં ક્યારેય કોઈ પ્લેટ બીજી પ્લેટની નજીક આવે તો કોઈ દૂર જતી રહે છે. આ દરમિયાન આ પ્લેટ્સ એકબીજા સાથે ટકરાય છે. એવામાં જ ભૂકંપ આવે છે અને ધરતી હલી જાય છે. આ પ્લેટ્સ સપાટીથી લગભગ 30-50 કિમી સુધી નીચે રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
