સોનિયા ગાંધીથી ચંદ્રબાબુ નાયડૂ ખફા? રેલીમાં સ્ટેજ શેર નહિ કરે
સોનિયા ગાંધીથી ચંદ્રબાબુ નાયડૂ ખફા? સ્ટેજ શેર નહિ કરે
હૈદરાબાદઃ તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રાજ્યમાં વોટર્સને લલચાવવા માટે ચૂંટણી સભાનો દોર ચાલી રહ્યો છે. પરંતુ આની સાથે જ એવી અટકળોને વિરામ લાગી ગયો છે, જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે તેલંગાણાની રેલીમાં સોનિયા ગાંધીની સાથે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ 23મી નવેમ્બરે તેલંગાણામાં થનાર રેલીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સાથે સ્ટેજ શેર નહિ કરે. અન્ય પક્ષો સાથે બંને પાર્ટીઓએ ગઠબંધન બનાવ્યું છે. જે બાદ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી અને સોનિયા ગાંધી મેડચલ જનસભામાં એક મંચ પર આવે તેવી અટકળો સેવાઈ રહી હતી, પરંતુ ચંદ્રબાબુના એક નિવેદને બધી જ અટકળો ખતમ કરી દીધી છે.

સોનિયા ગાંધી રેલી કાઢશે
કોંગ્રેસે પાછલા મહિને તેલંગાણા રાષ્ટ્ર સમિતિ વિરુદ્ધ તેલંગાણા દેશમ પાર્ટી અને તેલંગાણા જન સમિતિ તથા ભાપકા સાથે ગઠબંધન કર્યું છે. જેને 'પ્રજકુટ્ટમી' (જન ગઠબંધન)નું નામ આપવામાં આવ્યું છે. જણાવી દઈએ કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી સાત ડિસેમ્બરે થનાર છે.

ચંદ્રબાબુ હાજરી નહિ આપે
ખુંટિયાએ જણાવ્યું કે રાહુલ ગાંધી 28 અને 29મી નવેમ્બરે આંધ્ર પ્રદેશના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ચંદ્રબાબુ નાયડૂ કોંગ્રેસ સાથે પ્રચાર કરશે. એમણે કહ્યું કે ચંદ્રબાબુ નાયડૂ બધી જનસભામાં નહિ બલકે અમુક સભાઓમાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે સ્ટેજ શેર કરશે. ખુંટિયાએ કહ્યું કે કોંગ્રેસ 23 નવેમ્બરે રાજ્યમાં ઘોષણાપતર જાહેર કરી શકે છે.

મહાગઠબંધનનો પાયો નાખવાની કોશિશ
ઉલ્લેખનીય છે કે આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડૂ મોદી સરકાર વિરુદ્ધ દેશભરમાં વિપક્ષી એકતાની કવાયતમાં જોડાઈ ચૂક્યા છે. આ કારણ જ છે કે પાછલા દિવસોમાં દિલ્હીમાં એમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને એનસીપી અધ્યક્ષ શરદ પવાર તથા નેશનલ કોન્ફ્રન્સના સુપ્રીમો ફારુક અબ્દુલ્લા સાથે પણ મુલાકાત કરી મહાગઠબંધનનો પાયો નાખવાની કોશિશ કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
