ભાજપની રાષ્ટ્રીય કાર્યકારણી બેઠકમાં જે.પી નડ્ડાના કાર્યકાળને લઇને નિર્ણય લેવામાં આવશે
ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકાણીની બેઠક બે દિવસ માટે દિલ્હીમાં મળશે આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ તેમજ પ્રદેશના નેતાઓ હાજર રહેશે. આ બેઠકમાં ભાજપને વિધાનસભાની બેઠકમાં મળેલી જીત તેમજ આગામી ચૂંટણીને લઇને ચર્ચા કર
ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠક દિલ્હીમાં 16-17 જાન્યુઆરીના રોજ મળશે આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાના કાર્યકાળ વધારવાને લઇને નિર્ણય કરવામાં આવશે. આ સાથે આગામી વર્ષે આવનાર મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક સહિતના રાજ્યોની ચૂટણીની તૈયારીને લઇને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ સહિત દેશભરમાથી ભાજપના નેતાઓ પદાધિકારીઓ ખાસ ઉસ્થિત રહેશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાનો કાર્યકાળ આ મહિનામાં પૂર્મ થવા જઇ રહ્યો છે. તેમજ આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે આ બાબતને ધ્યાનમાં રાખીને તેમના કાર્યકાળને વધુ ત્રણ વર્ષે માટે લંબાવામાં આવી શકે છે. આ સાથે આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે તેને પણ ધ્યાનમં રાખવામાં આવશે.
આ બેઠકમાં લોકસભાની ચૂટણીમાં વિરોધ પક્ષઓની ભૂમિકા તેમજ કોગ્રેસ દ્વારા કાઢામાં આવેલી ભારત જોડો યાત્રાને મળી રહેલા વ્યાપક જન સમર્થન પર પણ ચર્ચા કરવામં આવશે. આ મુદ્દે ભાજપ દ્વારા આકરી પ્રતિક્રીયા પણ આ બેઠકમાં આપવામાં આવી શકે છે. ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી દ્વારા સતત એવો આરોપ લગાવામા આવી રહ્યો છે કે, ભાજપ નફરત અને તોડવાી રાજનીતી કરી છે. આ સદર્ભમાં એક ઠરાવ પણ પસાર કરવામાં આવી શકે છે.
ભાજપના વરિષ્ઠ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બેઠકમાં G20 ની અધ્યક્ષતા ભારત કરી રહ્યુ છે. સરકાર દ્વારા આયોજીત રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો પર પણ ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી શકે છે. ભાજપ આ મામલે પ્રધાનમંત્ર મોદીના પ્રયાસોની પ્રશંસા કરશે અને આ કવાયતમાં કાર્યકર્તાઓને સામેલ કરવા માટે પ્લાન બનવામાં આવશે.
આગામી વર્ષે 2024 માં લોકસભાની ચૂંટણી યોજાશે તેને ધ્યાનમાં રાખીને સંગઠનાત્મક ચૂંટણીઓને મૂલતવી રાખવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ તેને લઇને નિર્ણય લેવામાં આવશે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂટણીમાં પાર્ટીના પ્રદર્શન અને કેન્દ્ર સરકારનીી કામગીરીને લઇને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
