21 જુલાઈથી શરૂ થઈ રહી છે અમરનાથની યાત્રા, જાણો નવા નિયમો
21 જુલાઈથી શરૂ થઈ રહી છે અમરનાથની યાત્રા, જાણો નવા નિયમો
જમ્મુઃ કોરોના મહામારી વચ્ચે આ વખતે વાર્ષિક અમરના તીર્થ યાત્રા માત્ર 15 દિવસની જ થશે. જમ્મુ-કાશ્મીરમાં હિમાલયની ગુફામાં વિરાજમાન બર્ફાની બાબાના દર્શન કરવા માટે આ વર્ષે અમરનાથી યાત્રા 21 જુલાઈથી શરૂ થઈ 3 ઓગસ્ટે સમાપ્ત થશે. શિવભક્ત બર્ફાની બાબાની પવિત્ર ગુફામાં બરફના બનેલ પ્રાકૃતિક શિવલિંગના દર્શન આ અવધના અંતરાલમાં જ કરી શકશે. આ યાત્રા માટે સરકારે દિશાનિર્દેશો જાહેર કર્યા છે. આવો જાણીએ શું છે આ નવા દિશાનિર્દેશો...

21 જુલાઈએ શરૂ થઈને 3 ઓઘસ્ટે સમાપ્ત થશે અમરનાથની યાત્રા
શ્રી અમરનાથજી શ્રાઈન બ્રોડના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સમુદ્ર તટથી 3880 મીટર ઉપર આવેલ ગુફા મંદિરમાં યાત્રા સંબંધી બધી જ વ્યવસ્થા કરે છે. અધિકારીઓએ જણાવ્યું કે કરોના વાયરસ મહામારીને કારણે આ વખતે યાત્રાની અવધમાં કટૌતી કરવામાં આવી છે. આ વર્ષની યાત્રા 21 જુલાઈથી શરૂ થઈને 3 ઓગસ્ટે સમાપ્ત થશે. યાત્રા માટે પ્રથમ પૂજા શક્રવારે આયોજિત કરવામાં આવી હતી.

આ ઉમંરના યાત્રી જ યાત્રા કરી શકે
અધિકારીઓ મુજબ સાધુઓને છોડી 55 વર્ષથી ઓછી ઉંમરના જ યાત્રીઓને યા્રાની મજૂરી આપવામાં આવશે. એસએએસબીનના એક અધકારીએ કહ્યું કે યાત્રા શરૂ કરતા તમામ લોકો પાસે કોરોનાવાયરસ ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ અને તમામ સ્વાસ્થ્ય સંબંધી ચેકઅપ પ્રમાણ પત્ર હોવા જરૂરી છે. એસએએસબીના એક અધિકારીએ કહ્યું કે યાત્રા શરૂ કરતા પહેલા યાત્રીકોના કોરોના વાયરસ માટે ક્રોસ ચેક કરવામાં આવશે.

ઓનલાઈન રજિસ્ટર અને આરતીનું ઑનલાઈન ટેલિકાસ્ટ થશે
સાધુઓને છોડી તમામ તીર્થયાત્રીઓને યાત્રા માટે ઑનલાઈન રજસ્ટર કરવું પડશે. આ નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે 15 દિવસ દરમિયાન સવારે અને સાંજે ગુફા મંદિરમાં કરાતી આરતીનું પણ દેશભરના ભક્તો માટે સીધું પ્રસારણ કરવામા આવશે.

બાલટાલ બેસ કેમ્પથી હેલીકોપ્ટર
અધિકારીઓએ કહ્યું કે સ્થાનીક મજૂરોની ગેરમૌજૂદગી અે બેસ કેમ્પથી ગુફા મંદિર સુધી ટ્રેક બનાવી રાખવામાં કઠણાઈઓના કારણે યાત્રા ગાંદરબલ જિલ્લામા ંબાલટાલ બેસ કેમ્પથી હેલિકોપ્ટરનો ઉપયોગ કરી કેટરિંગ તીર્થસ્થળ સુધી કરી શકાશે.

પલગામ માર્ગ નહિ
યાત્રા 2020 માત્ર ઉત્તરી કશ્મીર બાલટાલ માર્ગથી થઈને નીકળશે. અધિકારીઓએ કહ્યું કે, કોઈપણ તીર્થયાત્રીને પહેલગામ માર્ગના માધ્યમથી આ વર્ષની યાત્રા કરવાની મંજૂરી આપવામાં નહિ આવે. યાત્રા 2020નું સમાપન 3 ઓગસ્ટના રોજ શ્રાવણ પૂર્ણિમા પર થશે, તે દિવસ રક્ષા બંધનનો તહેવાર પણ હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
