દિલ્લીમાં વિજળીની કમી ન થયા તે માટે કેન્દ્ર સરકારે લીધુ પગલુ, NTPC-DVCને આપ્યા નિર્દેશ
રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમા વિજળીનુ સંકટ ન થયા એ માટે કેન્દ્ર સરકારે એનટીપીસી અને ડીવીસીને નિર્દેશ આપ્યા છે.
નવી દિલ્લીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમા વિજળીનુ સંકટ ન થયા એ માટે કેન્દ્ર સરકારે એનટીપીસી અને ડીવીસીને નિર્દેશ આપ્યા છે. કેન્દ્ર સરકારે કહ્યુ છે કે એનટીપીસી અને ડીવીસીએ વિજળી વિતરણ કંપનીઓને પીપીએ હેઠળ વધુને વધુ વિજળીની આપૂર્તિ કરવા માટે કહ્યુ છે. કેન્દ્ર સરકારે કહ્યુ, છેલ્લા 10 દિવસોમાં દિલ્લી ડિસ્કૉમને આપેલી ઘોષિત ક્ષમતાને ધ્યાનમાં રાખીને વિજળી મંત્રાલયે એનટીપીસી અને ડીવીસીને દિલ્લીની વિજળી આપૂર્તિ સુરક્ષિત કરવાના નિર્દેશ જારી કર્યા છે. તે એ સુનિશ્ચિત કરશે કે દિલ્લી વિતરણ કંપનીઓને માંગ અનુસાર જેટલી વિજળીની જરૂર હોય એટલી વિજળી મળશે.

વિજ મંત્રાલય મુજબ દિલ્લીમાં ગઈ 10 ઓક્ટોબરે વિજળીની માંગ 4536 મેગાવૉટ હતી અને વિતરણ કંપનીઓને આના માટે જરૂરિયાત મુજબ વિજળી આપવામાં આવી હતી. વિજ મંત્રાલયે કહ્યુ છે કે 10 ઓક્ટોબરના રોજ એનટીપીસી અને ડીવીસીને એ નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે દિલ્લીની વિજ વિતરણ કંપનીઓને વિજળીની સમય અનુસાર આપૂર્તિ કરે. ત્યારબાદ બંને કંપનીઓએ દિલ્લીની ડિસ્કૉમ કંપનીઓને તેમની માંગ મુજબ વિજળીની આપૂર્તિ કરવાનુ વચન આપ્યુ છે.
વિદ્યુત મંત્રાલયે કહ્યુ છે કે 10 ઓક્ટોબરના રોજ મહત્તમ માંગ 4536 મેગાવૉટ(પીક) અને 96.2 એમયુ(ઉર્જા) હતી. દિલ્લી ડિસ્કૉમમાંથી મળેલી માહિતી મુજબ વિજળીની કમીના કારણે કોઈ આઉટેજ નહોતુ કારણકે તેને જરૂરી માત્રામાં વિજળીની આપૂર્તિ કરવામાં આવી હતી. એનટીપીસી ગેસ આધારિત પાવર પ્લાન્ટ્સતી પણ દિલ્લીની વિજળીની આપૂર્તિ કરી શકે છે.
ભારત સરકારે કહ્યુ છે કે રાજ્યોને રાજ્યના ગ્રાહકોને વિજળીની આપૂર્તિ માટે ફાળવવામાં આવેલ વિજળીનો ઉપયોગ કરવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો છે. વળી, જો વિજળીની ખપત વધુ હોય તો રાજ્યોને અનુરોધ કરવામાં આવે છે કે તે સૂચિત કરે જેથી આ વિજળી અન્ય જરુરિયાતમંદ રાજ્યોને ફરીથી ફાળવી શકાય.
કેન્દ્ર સરકારે એ પણ કહ્યુ છે કે જો કોઈ રાજ્ય પાવર એક્સચેન્જમાં વિજળી વેચતુ જોવા મળ્યુ અથવા આ ફાળવવામાં આવેલી વિજળીને શિડ્યુલ ન કરી રહ્યુ હોય તો તેની અસંબદ્ધ ઉર્જાને અસ્થાયી રીતે ઓછી અથવા તો પાછી લેવામાં આવી શકે છે અને અન્ય રાજ્યોને ફરીથી આપવામાં આવી શકે છે જેમને વિજળીની વધુ જરરુ હોય છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ઘણા રાજ્યોએ ચિંતા વ્યક્ત કરી હતી અને કોલસાની તીવ્ર અછતને પગલે વીજળી બંધ થવાની ચેતવણી આપી હતી. બીજી તરફ સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે, વીજળી ઉત્પન્ન કરતા પ્લાન્ટ્સની માગને પહોંચી વળવા માટે દેશમાં સુકા બળતણ ઉપલબ્ધ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
