દિલ્હી સરકારે 'ફરિશ્તે દિલ્હી કે' યોજના હેઠળ 13,000 લોકોના જીવ બચાવ્યા!

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે કહ્યું હતું કે દિલ્હી સરકારની 'ફરિશ્તે દિલ્લી કે' યોજના હેઠળ ઘણા સારા દિલના લોકોએ લગભગ 13,000 લોકોના જીવ બચાવ્યા છે.

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે કહ્યું હતું કે દિલ્હી સરકારની 'ફરિશ્તે દિલ્લી કે' યોજના હેઠળ ઘણા સારા દિલના લોકોએ લગભગ 13,000 લોકોના જીવ બચાવ્યા છે. ઑક્ટોબર 2019 માં શરૂ કરાયેલ આ યોજના લોકોને માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને બચાવવા માટે પ્રોત્સાહિત કરે છે. ત્યાગરાજ સ્ટેડિયમમાં એક કાર્યક્રમને સંબોધતા કેજરીવાલે કહ્યું કે, "કેટલાક કિસ્સાઓમાં ભીડને કારણે કટોકટીના સમયે કોઈ વિસ્તારમાં તબીબી સહાય પહોંચવી મુશ્કેલ બની જાય છે.

arvind kejrival

દિલ્હી સરકારની 'ફરિશ્તે દિલ્લી કે' યોજના હેઠળ આ મુદ્દા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં લગભગ 13,000 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. ફેબ્રુઆરી 2021માં કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે આ યોજના હેઠળ 10,000 થી વધુ લોકોના જીવ બચાવવામાં આવ્યા છે.

કેજરીવાલે કહ્યું હતું કે, લોકો એકબીજાની મદદ માટે આગળ આવી રહ્યા છે. તમારે માર્ગ અકસ્માત પીડિતોને પણ મદદ કરવી જોઈએ. કોઈનો જીવ બચાવવો એ પવિત્ર કાર્ય છે. આ યોજનાની શરૂઆત કરતા દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે 18 મહિના લાંબી પહેલના પાયલોટ લોન્ચ દરમિયાન ઓછામાં ઓછા 3,000 લોકોના જીવ બચાવ્યા હતા. જો પીડિતને અકસ્માતના એક કલાકની અંદર હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે તો તે કિંમતી સમયમાં પીડિતના બચવાની શક્યતા 70-80 ટકા વધી જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X