કેજરીવાલને હરાવવાની અપીલ કરવાર કુમાર વિશ્વાસે આપની જીત પર શું કહ્યુ
આમ આદમી પાર્ટીના સંસ્થાપક સભ્યોમાં એક રહેલા કવિ કુમાર વિશ્વાસ અરવિંદ કેજરીવાલ પર ખૂબ જ હુમલાવર રહ્યા હતા.
દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મોટી જીત મેળવી છે. અધિકૃત આંકડા હજુ નથી આવ્યા પરંતુ પાર્ટી 50થી પણ વધુ સીટો પર સ્પષ્ટ રીતે આગળ છે. ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના સંસ્થાપક સભ્યોમાં એક રહેલા કવિ કુમાર વિશ્વાસ અરવિંદ કેજરીવાલ પર ખૂબ જ હુમલાવર રહ્યા હતા. સતત તેમણે કેજરીવાલ સામે ટ્વિટ કર્યુ. આજે પણ તેમની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે પરંતુ ચૂંટણી પરિણામો પર કંઈ બોલ્યા નથી.

જન્મદિવસ વિશ કરનારાને આપી રહ્યા છે ટ્વિટર પર જવાબ
કુમાર વિશ્વાસ આજે સવારથી જ ટ્વિટર પર ખાસ્સા સક્રિય છે. એક દિવસ પહેલા તેમણે પોતાનો જન્મદિવસ મનાવ્યો છે. ટ્વિટર પર હજારો લોકોએ તેમને શુભકામનાઓ આપી, તેઓ આજે સવારથી શુભકામનાઓ આપનાર લોકોનો આભાર માની રહ્યા છે. બધાને અલગ અલગ રિપ્લાય કરી રહ્યા છે. વળી, ચૂંટણી પરિણામો પર તેમણે મૌન જાળવી રાખ્યુ છે.

2015માં હતા મહત્વનો ચહેરો, આ વખતે કરી હતી આપને હરાવવાની અપીલ
2015માં જ્યારે આમ આદમી પાર્ટી જીતી હતી ત્યારે કુમાર વિશ્વાસે જીત બાદ ભાષણ આપ્યુ હતુ. આ દરમિયાન અરવિંદ કેજરીવાલની એકદમ સાથે ઉભા હતા. બાદમાં તેમના સંબંધો કેજરીવાલ સાથે ખરાબ થઈ ગયા. આ ચૂંટણીમાં તે કેજરીવાલ માટે ઘણા ખરાબ શબ્દોનો ઉપયોગ કરતા રહ્યા. તેમણે આઠ ફેબ્રુઆરીના રોજ આમ આદમી પાર્ટીને હરાવવાની અપીલ પણ દિલ્લીના લોકોને કરી હતી.

આપને ભારે બહુમત
દિલ્લી વિધાનસભાની 70 સીટો પર આજે મત ગણતરી ચાલી રહી છે. આમ આદમી પાર્ટી સ્પષ્ટ બહુમત સાથે સરકાર બનાવતી જોવા મળી રહી છે. દિલ્લીમાં બહુમત માટે 36 સીટોની જરૂર છે. આમ આદમી પાર્ટી લગભગ 50 સીટો પર સ્પષ્ટ રીતે આગળ છે. અત્યાર સુધીના રુઝાનોમાં આપને 55 અને ભાજપને 15 સીટો મળી રહી છે. આપ સતત ત્રીજી વાર દિલ્લીમાં સરકાર બનાવતી દેખાઈ રહી છે. જો કે ભાજપે જબરદસ્ત વાપસી કરી છે. ભાજપે 2015માં કુલ ત્રણ સીટો જીતી હતી પરંતુ આ વખતે પાર્ટી 15 સીટો પર આગળ ચાલી રહી છે. દિલ્લીમાં 8 ફેબ્રુઆરીએ મતદાન થયુ હતુ. ચૂંટણીમાં કુલ 62.59 ટકા મતદાન થયુ હતુ. જેના પરિણામો આજે આવી રહ્યા છે. 2015ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 વિધાનસભા સીટ મેળવી હતી. ભાજપે ત્રણ સીટો મેળવી હતી જ્યારે કોંગ્રેસના હાથમાં એક પણ સીટ આવી નહોતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
