અરવિંદ કેજરીવાલનો દાવો - રાઘવ ચઢ્ઢાની પણ થઈ શકે છે ધરપકડ, આ લોકો બનાવી રહ્યા છે...
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે ટ્વિટ કરીને એક મોટુ નિવેદન આપ્યુ છે.
નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે ટ્વિટ કરીને એક મોટુ નિવેદન આપ્યુ છે. જેમાં તેમણે કહ્યુ છે કે, 'જ્યારથી રાઘવ ચઢ્ઢાને ગુજરાતના સહ પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમણે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે જવાનુ ચાલુ કર્યુ છે, હવે સાંભળવામાં આવી રહ્યુ છે કે રાઘવ ચઢ્ઢાની પણ આ લોકો ધરપકડ કરશે. કયા કેસમાં કરશે અને શું આરોપ હશે, એ હજુ આ લોકો બનાવી રહ્યા છે.'

ઉલ્લેખનીય છે કે દિલ્લીની દારૂનીતિ પર થયેલી કાર્યવાહી બાદ દિલ્લીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી સામ-સામે આવી ગઈ છે. ગયા સપ્તાહે સીબીઆઈએ કથિત દારુનીતિ કૌભાંડમાં વિજય નાયરની ધરપકડ કરી હતી ત્યારબાદ કેજરીવાલે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડની શંકા વ્યક્ત કરી હતી.
તમને જણાવી દઈએ કે 17 સપ્ટેમ્બરના રોજ આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને ગુજરાતમાં પાર્ટીના સહપ્રભારી નિયુક્ત કર્યા હતા. ત્યારબાદથી ચઢ્ઢાએ ગુજરાતમાં કહ્યુ હતુ કે ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છે છે. તે ભાજપના 27 વર્ષના શાસનથી પરેશાન છે. વળી, રાઘવ ચઢ્ઢાએ એમ પણ કહ્યુ હતુ કે કોંગ્રેસ બૂઢ્ઢી થઈ ચૂકી છે અને તે ભાજપને સત્તામાંથી હટાવવામાં સક્ષમ નથી. હવે અરવિંદ કેજરીવાલ જ એક વિકલ્પ છે. નોંધનીય છે કે રાઘવ ચઢ્ઢાએ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તે પંજાબના પણ પ્રભારી છે. પંજાબમાં આપે વિધાનસભાની 117માથી 92 સીટો પર જીત મેળવી હતી.
દિલ્લીની રાઉઝ એવન્યુ કોર્ટે હાલમાં જ આપ ધારાસબ્ય અમાનતુલ્લાહ ખાનને જામીન આપ્યા. તે અંગે પણ તેમણે ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ. કેજરીવાલે ગુરુવારે ટ્વિટ કર્યુ હતુ કે ભાજપવાળા દિલ્લીમાં નકલી તપાસ કરતા રહી ગયા અને આ બાજુ ગુજરાત તેમના હાથમાંથી સરકી ગયુ. આજે 75 વર્ષ પછી પણ લોકોને પોતાની સમસ્યાઓનો ઉકેલ જોઈએ. લોકોમાં જબરદસ્ત બેચેની છે. 24 કલાક નેગેટીવ અને બદલાની રાજનીતિ કરવાનુ લોકોને પસંદ નથી.
जब से राघव चड्ढा को गुजरात का सह प्रभारी नियुक्त किया है और उन्होंने गुजरात में चुनाव प्रचार के लिए जाना चालू किया है, अब सुन रहे हैं कि राघव चड्ढा को भी ये लोग गिरफ़्तार करेंगे। किस केस में करेंगे और क्या आरोप होंगे, ये अभी ये लोग बना रहे हैं
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 30, 2022
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
