મોદી મુદ્દે માત પામેલા અડવાણી કઇ નવી ચાલ ચાલી શકે?
પાર્ટી વિથ ડિફરન્સ સાથે ઓળખાતી ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાય મહિનાઓથી આગામી લોકસભા ચૂંટણી 2014 માટે પાર્ટીમાંથી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામની સત્તાવાર જાહેરાતના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરી શકી નથી. છેલ્લા બે ત્રણ દિવસના ઘટનાક્રમનું વિહંગાવલોકન કરીએ તો સ્પષ્ટ નજરે ચઢે છે કે ભાજપમાં નરેન્દ્ર મોદી મુદ્દે બે સ્પષ્ટ જુથો બહાર આવ્યા છે. મોદી તરફી અને મોદી વિરોધી. ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીની આગેવાનીમાં નરેન્દ્ર મોદી વિરોધી જુથે મોદીનું નામ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર નહીં થવા દેવા માટે તમામ પ્રકારના દાવ પેચ અપનાવી લીધા છે. આમ છતાં અડવાણી મોદી સામે હારી ગયા છે.
હવે ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહે અડવાણીની ઇચ્છાની ઉપરવટ જઇને પણ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના નામની જાહેરાત કરવા માટેનો તખ્તો ગોઠવી દીધો છે. આજે સાંજે ભાજપના સંસદીય બોર્ડની બેઠકમાં ઔપચારિક દરખાસ્ત પસાર કર્યા બાદ માત્ર નામની ઘોષણા કરવાની બાકી રાખવામાં આવી છે. આ માટે અડવાણીને બાદ કરતા બોર્ડના તમામ સભ્યોને રાજનાથે મનાવી લીધા છે. આ સ્થિતિમાં દરેકને પ્રશ્ન થાય કે વડાપ્રધાન પદના ઉમેદવાર બનવાની તક ગુમાવી બેઠેલા અને મોદીને આ પદ માટે રોકી નહીં શકેલા અડવાણી હવે કેવી રમત રમશે અથવા તેમના આગામી પગલાં શું હશે. આ મુદ્દે કેટલીક શક્યતાઓ ઉભી થાય છે જે આ મુજબ છે...

અડવાણી હવે શું કરશે?
ભાજપના નેતાઓ અડવાણીની નવી ચાલ શું હોઇ શકે તેનો કોઇ અંદાજ લગાવી શક્યા નથી. એક પછી એક મુદ્દે હાર ભોગવી રહેલા અને પાર્ટીમાં પોતાનું વર્ચસ્વ ગુમાવી રહેલા અડવાણી ગોવાની જેમ આજની સંસદીય બોર્ડની બેઠકનો બહિષ્કાર કરી શકે છે. જો આવુ્ં થાય તો અડવાણી કાર્યકર્તાઓનો ઉત્સાહ ભંગ કરવામાં આને પાર્ટીને નીચું દેખાડવામાં સફળ બનશે.

નરેન્દ્ર મોદીને સ્વીકારો
આ ઘટનાક્રમ બાદ નરેન્દ્ર મોદીના સમર્થકોમાં અડવાણી પ્રત્યેનો આદર ઘટી રહ્યો છે. પાર્ટીમાં પોતાનો દરજ્જો ટકાવી રાખવા માટે અડવાણી નરેન્દ્ર મોદીને નેતા તરીકે સ્વીકારીને તેમની સાથેની કડવાશ દૂર કરવાનો માર્ગ અપનાવી શકે. જો આમ થશે તો અડવાણી પોતાના સમર્થકોને મોદીની ટીમમાં યોગ્ય સ્થાન અપાવી શકશે.

છેલ્લા શ્વાસ સુધી લડતા રહે
અડવાણી માટે આ પાર કે પેલે પાર જેવી સ્થિતિ છે. નરેન્દ્ર મોદીને નેતા તરીકે સ્વીકારે નહીં અને વિરોધ ચાલુ રાખી શકે છે. આ માટે તેમણે પોતાની નારાજગીને સાર્વજનિક કરવી પડશે. જો કે તેના ગંભીર પરિણામો ભોગવવા પણ તૈયાર રહેવું પડશે.

ધીરજ ધરવી પડે
વચલા માર્ગ રૂપે અડવાણીએ અત્યારે પાર્ટી જેમ નિર્ણય લે છે તેને સ્વીકારીને લોકસભા ચૂંટણી 2014ના પરિણામો આવે ત્યાં સુધી રાહ જોવાનો વિકલ્પ છે. આમ કરવાથી ભવિષ્યમાં તેઓ પોતાનું વર્ચચ્વ વધારે મજબૂત બનાવી શકે છે.

પીએમ બનવાની તક
જો પરિણામો નરેન્દ્ર મોદીની વિરુદ્ધ આવ્યા તો પીએમ બનવાનો ચાન્સ અડવાણીની સાથે નરેન્દ્ર મોદી પણ ગુમાવશે. આનો ફાયદો અડવાણીને એટલો થશે કે તેમની રાજકીય કુનેહને ફરી વાર પાર્ટીની સેવા કરવામાં વાપરવાની તક મળશે.
અડવાણી હવે શું કરશે?
ભાજપના નેતાઓ અડવાણીની નવી ચાલ શું હોઇ શકે તેનો કોઇ અંદાજ લગાવી શક્યા નથી. એક પછી એક મુદ્દે હાર ભોગવી રહેલા અને પાર્ટીમાં પોતાનું વર્ચસ્વ ગુમાવી રહેલા અડવાણી ગોવાની જેમ આજની સંસદીય બોર્ડની બેઠકનો બહિષ્કાર કરી શકે છે. જો આવુ્ં થાય તો અડવાણી કાર્યકર્તાઓનો ઉત્સાહ ભંગ કરવામાં આને પાર્ટીને નીચું દેખાડવામાં સફળ બનશે.
નરેન્દ્ર મોદીને સ્વીકારો
આ ઘટનાક્રમ બાદ નરેન્દ્ર મોદીના સમર્થકોમાં અડવાણી પ્રત્યેનો આદર ઘટી રહ્યો છે. પાર્ટીમાં પોતાનો દરજ્જો ટકાવી રાખવા માટે અડવાણી નરેન્દ્ર મોદીને નેતા તરીકે સ્વીકારીને તેમની સાથેની કડવાશ દૂર કરવાનો માર્ગ અપનાવી શકે. જો આમ થશે તો અડવાણી પોતાના સમર્થકોને મોદીની ટીમમાં યોગ્ય સ્થાન અપાવી શકશે.
છેલ્લા શ્વાસ સુધી લડતા રહે
અડવાણી માટે આ પાર કે પેલે પાર જેવી સ્થિતિ છે. નરેન્દ્ર મોદીને નેતા તરીકે સ્વીકારે નહીં અને વિરોધ ચાલુ રાખી શકે છે. આ માટે તેમણે પોતાની નારાજગીને સાર્વજનિક કરવી પડશે. જો કે તેના ગંભીર પરિણામો ભોગવવા પણ તૈયાર રહેવું પડશે.
ધીરજ ધરવી પડે
વચલા માર્ગ રૂપે અડવાણીએ અત્યારે પાર્ટી જેમ નિર્ણય લે છે તેને સ્વીકારીને લોકસભા ચૂંટણી 2014ના પરિણામો આવે ત્યાં સુધી રાહ જોવાનો વિકલ્પ છે. આમ કરવાથી ભવિષ્યમાં તેઓ પોતાનું વર્ચચ્વ વધારે મજબૂત બનાવી શકે છે.
પીએમ બનવાની તક
જો પરિણામો નરેન્દ્ર મોદીની વિરુદ્ધ આવ્યા તો પીએમ બનવાનો ચાન્સ અડવાણીની સાથે નરેન્દ્ર મોદી પણ ગુમાવશે. આનો ફાયદો અડવાણીને એટલો થશે કે તેમની રાજકીય કુનેહને ફરી વાર પાર્ટીની સેવા કરવામાં વાપરવાની તક મળશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
