સાયરસ મિસ્ત્રીના આજે મુંબઈમાં કરવામાં આવશે અંતિમ સંસ્કાર, જાણો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ શું કહે છે?
ટાટા એન્ડ સન્સના ભૂતપૂર્વ ચેરમેન 54 વર્ષીય સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર મંગળવારે એટલે કે આજે સવારે વર્લીના સ્મશાનગૃહમાં થશે.
મુંબઈઃ ટાટા એન્ડ સન્સના ભૂતપૂર્વ ચેરમેન 54 વર્ષીય સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર મંગળવારે એટલે કે આજે સવારે વર્લીના સ્મશાનગૃહમાં થશે. સાયરસ મિસ્ત્રીનુ રવિવારે કાર અકસ્માતમાં મૃત્યુ થયુ હતુ. સાયરસ મિસ્ત્રીના મૃત્યુથી જીવનના તમામ ક્ષેત્રના લોકોને આઘાત લાગ્યો હતો. જેમાં રાજકારણીઓથી લઈને ઉદ્યોગપતિઓ સુધી દરેક દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાયરસ મિસ્ત્રીના મોટાભાગના પરિવારના સભ્યો વિદેશમાં રહે છે અને સોમવારે રાત સુધીમાં મુંબઈ પહોંચી ગયા હતા. 54 વર્ષીય સાયરસ મિસ્ત્રીના પોસ્ટમોર્ટમમાં મૃત્યુનુ કારણ પોલિટ્રોમા, મહત્વપૂર્ણ અવયવોમાં ગંભીર ઈજાઓ હોવાનું બહાર આવ્યુ છે.

સાયરસ મિસ્ત્રી ત્રણ પારિવારિક મિત્રો ડેરિયસ અને જહાંગીર પંડોલે અને ડેરિયસની પત્ની અનાહિતા પંડોલે સાથે ગુજરાતના ઉદવાડાથી મુંબઈ પરત ફરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર સૂર્યા નદીના ચરોટી પુલ પર કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીની સાથે મર્સિડીઝની પાછળની સીટ પર બેઠેલા 49 વર્ષીય જહાંગીરનું પણ મોત થયુ હતુ. પ્રખ્યાત ગાયનેકોલોજિસ્ટ અનાહિતા ડ્રાઇવિંગ કરી રહી હતી અને તેનો પતિ ડેરિયસ તેની બાજુમાં આગળની સીટ પર બેઠો હતો. બંનેની સારવાર ચાલી રહી છે. સાક્ષીઓએ જણાવ્યુ હતુ કે અકસ્માતની 10 મિનિટમાં મદદ પહોંચી હતી.
પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં શું છે?
જેજે હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશને સોમવારે બપોરે 2.27 વાગ્યે પોસ્ટમોર્ટમ પૂર્ણ કર્યુ અને કાસા પોલીસ સ્ટેશન કે જ્યાં અકસ્માત થયો હતો તે સ્થાનિક પોલીસ સ્ટેશનને રિપોર્ટ મોકલ્યો. હૉસ્પિટલના એક સૂત્રએ જણાવ્યુ કે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ પરથી તમે અનુમાન લગાવી શકો છો કે કાર સ્પીડમાં હતી. સાયરસ મિસ્ત્રીના પોસ્ટમોર્ટમમાં મૃત્યુનુ કારણ પોલીટ્રોમા અને શરીરની બહુવિધ ઇજાઓ હોવાનુ કહેવાય છે. પોલીટ્રોમા એ એવી સ્થિતિ છે જેમાં માથાની અંદરના પેશીઓની અંદર ગંઠાઈ ગયેલા લોહીનો નક્કર સોજો હોય છે. જેને તબીબી રીતે ઇન્ટ્રાક્રેનિયલ હેમેટોમા તરીકે ઓળખવામાં આવે છે. તે મોઢા, છાતી અથવા પેટમાં ઇજાને કારણે પણ હોઈ શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
