તસવીરો: ચેન્નઇમાં વરદાથી વિનાશ, 10 ના મોત, કર્ણાટકમાં અસર, ઘણી ટ્રેનો અને વિમાનો રદ
વાવાઝોડા વરદાને કારણે સામાન્ય જીવન પર બ્રેક લાગી ગઇ છે, તેના કારણે ચેન્નઇમાં ઘણો વિનાશ સર્જાયો છે...
વાવાઝોડા વરદાને કારણે સામાન્ય જનજીવન ખોરવાઇ ગયુ છે, તેના કારણે ચેન્નઇમાં વિનાશ સર્જાયુ છે તો આ તરફ કર્ણાટકમાં પણ અસર થઇ છે. સમાચારો મુજબ વરદાને કારણે તમિલનાડુમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત નીપજ્યા છે. વરદાની પ્રબળતાને જોતા રેલવે અધિકારીઓએ ઘણી ટ્રેનો રદ કરી દીધી છે અને ઘણાના માર્ગ બદલી દીધા છે.
અહીં જુઓ- Photos:વાવાઝોડા વરદાહને કારણે ચેન્નાઇનું સમાન્ય જનજીવન ખોળવાયું
રદ કરાયેલી ટ્રેનોના નામ
વિજયવાડા-ચેન્નઇ સેંટ્રલ પિનાકિન એક્સપ્રેસનો માર્ગ બદલવામાં આવ્યો છે. તે વાયા ગુંટુર, રેનીગુંટા અને અર્નાકુલમ સ્ટેશનોથી ચલાવવામાં આવશે.
શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા-ચેન્નઇ સેંટ્રલ અંદમાન એક્સપ્રેસ. પૂરી- ચેન્નઇ સેંટ્રલ સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ.
અમદાવાદ- ચેન્નઇ સેંટ્રલ નવજીવન એક્સપ્રેસનો માર્ગ પણ બદલવામાં આવ્યો છે.
ચેન્નઇ સેંટ્રલ-હજરત નિઝામુદ્દીન દુરંતો એક્સપ્રેસ. મદુરાઇ-દહેરાદૂન સુપરફાસ્ટ એક્સપ્રેસ શામેલ છે.
આગળની વાત તસવીરોમાં...

બેંગલોરમાં સતત વરસાદ
તમિલનાડુમાં તો વરદા કાળો કેર વર્તાવી જ રહ્યુ છે, કર્ણાટક પર પણ તેની અસર પડી રહી છે. સોમવાર બપોરથી બેંગલોરમાં સતત વરસાદ પડી રહ્યો છે જેને કારણે અવરજવર અને પરિવહન પ્રભાવિત થયુ છે. હવામાનના બગડતા પરિસ્થિતિને કારણે તાપમાનમાં પણ ઘટાડો થયો છે અને ઠંડી વધી ગઇ છે.

10 લોકોના મોત
તમિલનાડુમાં સોમવારે વરદા વાવાઝોડાએ જબરદસ્ત વિનાશ વેર્યો. વાવાઝોડાને કારણે 10 લોકોના મોત નીપજ્યા છે. વળી વૃક્ષોની સાથે સાથે ઘરોની ઉપરના છાપરા પણ ઉડી ગયા હતા.

વાવાઝોડુ થોડા કલાકમાં નબળુ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડુ થોડા કલાકમાં નબળુ પડી જશે. આ દરમિયાના વરસાદ પડતો રહેશે.

ઉડાન સેવાઓ પ્રભાવિત
હવાની ગતિ ઉડાન સેવાઓ માટે અનુકૂળ નથી. 25 ઉડાન સેવાઓના માર્ગ બદલવામાં આવ્યા છે. નવ ઉડાન સેવાઓ મોડી ચાલી રહી છે અને પાંચ ઉડાન રદ કરવામાં આવી છે.

શૈક્ષણિક સંસ્થાઓમાં રજા
સરકારે ચેન્નઇ, કાંચીપુરમ, તિરુવલ્લુર જિલ્લામાં બધી સરકારી, સરકારી સહાયતા પ્રાપ્ત, ખાનગી શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં રજા ઘોષિત કરી દીધી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
