ઝારખંડ અને પ.બંગાળ પહોંચ્યું 'ફેલિન' વાવાઝોડું, આવતીકાલે યુપીમાં એન્ટ્રી કરશે
ઓરિસ્સા, નવી દિલ્હી, 13 ઓક્ટોબર: મહાતોફાન 'ફેલિન' શનિવારે રાત્રે ઓડિશા અને આંધ્રપ્રદેશમાં તાંડવ મચાવ્યા બાદ બિહાર, ઝારખંડ, પશ્વિમ બંગાળ અને પૂર્વી ઉત્તર પ્રદેશની તરફ આગળ વધી રહ્યું છે. આ ચક્રવાતી તોફાન આજે ઝારખંડ અને પશ્વિમ બંગાળ પહોંચી ગયું છે, બંને રાજ્યોમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. બિહારમાં પણ આજે જ પહોંચશે અને આવતીકાલે ઉત્તર પ્રદેશમાં એન્ટ્રી મારશે. તોફાનના ખતરાથી બચવા માટે છ રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
જો કે તોફાનની ગતિ ઓછી થઇ છે. હવે આ ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક રહી ગઇ છે, જે ગઇકાલે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં 200 કિલોમીટર પ્રતિ કલાક હતી. જેમાં બંને રાજ્યોના તટીય વિસ્તારોમાં ભારે વરસાદના સમાચાર છે. જો કે વહિવટી તંત્રએ આઠ લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. તેમછતાં ભીષણ તોફાનથી અત્યાર સુધી સાત લોકોના મોત નિપજ્યાં છે. હવે આખા ભારતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.
ભીષણ ચક્રવાતી તોફાન 'ફેલિન' આજે ઘણું નબળું પડી ગયું છે પરંતુ તેને ઓડિશા અને આંધ્રપ્રદેશના તટવર્તી વિસ્તારોમાં તબાહીના નિશાન છોડી દિધા છે તથા આનાથી ત્યાં સંદેશાવ્યવહાર ખોરવાઇ ગયો છે. તોફાનથી લગભગ 80 લાખ લોકો પ્રભાવિત થયા છે. 2.34 લાખ ઘર ક્ષતિગ્રસ્ત થયા છે જ્યારે 2400 કરોડ રૂપિયાનો પાક બરબાદ થયો છે. ઓડિશાના રાજસ્વ તથા આપદા મંત્રી એસ એન પાત્રોએ ભુનેશ્વરમાં કહ્યું હતું કે ઓડિશામાં સાત લોકોના મોતની જાણકારી મળી છે પરંતુ આ મોત ચક્રવાતી તોફાન આવ્યા પહેલાં થયા છે જ્યારે ઝાડ તેમના પર પડ્યા હતા.

1999ના ખતરનાક મહાચક્રવાત બાદ અત્યારસુધીનો બીજો ખતરનાક ચક્રવાતી તોફાન 'ફેલિન' શનિવારે રાત્રે ઓડિશાના તટ પર આવી પહોંચ્યું, જ્યારે તેના કારણે રાજ્ય અને નજીકના ઉત્તરી તટીય આંધ્ર પ્રદેશમાં મૂશળાધાર વરસાઇ થયો અને 200 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે હવાઓ ફૂંકાવા લાગી. જો કે આજે ઘણું નબળું થઇ ગયું છે પરંતુ આનાથી ઓડિશા અને આંધ્રપ્રદેશના તટીય વિસ્તારમાં તબાડીના નિશાન છોડી દિધા છે.
ચક્રવાતી તોફાનને ધ્યાનમાં રાખતાં આઠ લાખ લોકોને પહેલાંથી જ ત્યાંથી નિકાળવામાં આવ્યા છે. ફેલિન વિનાશકારી હતું પરંતુ તેના આવતાં પહેલાં મોટાપાયે લોકોને નિકાળીને સુરક્ષિત સ્થળોએ પહોંચાડી દેવામાં આવ્યા હતા. જેથી વર્ષ 1999ના વિનાશકારી તોફાનનું પુનરાવર્તન થતાં અટકી ગયું જેમાં લગભગ 10 હજાર લોકોના મોત નિપજ્યાં હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
