જોધપુરમાં કર્ફ્યુને 6 મે સુધી લંબાવવામાં આવ્યો, અત્યાર સુધી 140ની ધરપકડ
જોધપુરમાં સાંપ્રદાયિક તણાવના કારણે કર્ફ્યુને 6 મે સુધી લંબાવી દેવામાં આવ્યો છે.
જોધપુરઃ જોધપુરમાં સાંપ્રદાયિક તણાવના કારણે કર્ફ્યુને 6 મે સુધી લંબાવી દેવામાં આવ્યો છે. પોલિસ કમિશ્નરે જોધપુરમાં તણાવને જોતા કર્ફ્યુને 6 મે સુધી લંબાવવાના નિર્દેશ આપ્યા છે. તેમના તરફથી જાહેર કરાયેલ આદેશમાં કહેવામાં આવ્યુ છે કે જોધપુરમાં 3 મે સુધી કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો જેને 6 મે સુધી માટે લંબાવવામાં આવે છે. રાયકાબાગ પેલેસ બસ સ્ટેન્ડ અને રાયકાબાગ રેલવે સ્ટેશનને કર્ફ્યુ ક્ષેત્રની બહાર રાખવામાં આવ્યો છે. સાથે જ છાત્ર અને શિક્ષક જે પરીક્ષામાં શામેલ થવા જઈ રહ્યા છે તેમને પણ કર્ફ્યુમાં છૂટ આપવામાં આવી છે. આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો, બેંક કર્મચારી, ન્યાયિક અધિકારી, મીડિયાના લોકોને કર્ફ્યુમાં છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત છાપા વહેંચતા લોકોને પણ છૂટ આપવામાં આવી છે. જિલ્લામાં ઈન્ટરનેટ સેવાને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.

જોધપુરના ડીએમ હિમાંશુ ગુપ્તાએ કહ્યુ કે શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ ઈન્ટરનેટની સેવાને ફરીથી ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવશે. હાલમાં શહરમાં સ્થિતિ નિયંત્રણમાં છે, માહોલ શાંતિપૂર્ણ છે. હિસામાં શામેલ 140 લોકોની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી ચૂકી છે. ઈદના દિવસે થયેલી હિંસા મામલે કુલ 14 કેસ નોંધવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરવામાં આવી છે. હાલમાં એ લોકોએ પોતાનુ પ્રદર્શન રદ કરી દીધુ છે. નોંધનીય વાત છે કે મુખ્યમંત્રી અશોક ગહેલોતના ગૃહક્ષેત્રમાં ઈદના દિવસે તણાવ વધી ગયો હતો. જેના કારણે પ્રશાસનને ઈન્ટરનેટ સેવા બંધ કરવી પડી હતી અને 10 પોલિસ ક્ષેત્રમાં કર્ફ્યુ લગાવવો પડ્યો હતો.
વાસ્તવમાં જલોરી ગેટ પર ધાર્મિક ઝંડો લહેરાવાને લઈને જોધપુરમાં તણાવ થઈ ગયો હતો ત્યારબાદ પત્થરમારામાં પોલિસકર્મી ઘાયલ થઈ ગયા હતા. રાજ્યના મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી હતી કે શાંતિ જાળવી રાખે. જોધપુરની ઘટના બાદ પોલિસે કોઈ પણ પ્રકારની અફવાઓ ફેલાતી રોકવા માટે ઈન્ટરનેટ સેવા પ્રતિબંધિત કરી દીધી હતી. ભારે પોલિસબળ તૈનાત કરવામાં આવ્યુ હતુ જેનાથી તણાવ વધે નહિ. ઉપદ્રવીઓને કાબુમાં લાવવા માટે પોલિસને લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
