જે પક્ષને મુન્નીથી પણ વધુ બદનામ કીધો હતો, એ જ પક્ષમાં જોડાયા સિદ્ધુ
વર્ષ 2004 થી વર્ષ 2014 સુધી ભાજપની ટિકિટ પર અમૃતસર લોકસભા સીટના સાંસદ રહેલા નવજોત સિંહ સિદ્ધુ અને તેમની પત્નીએ ગત વર્ષે પાર્ટી સાથે મતભેદ થતાં રાજીનામું આપ્યું હતું.
ભાજપથી અલગ થઇને પોતાની પાર્ટી બનાવનાર પૂર્વ ક્રિકેટર અને રાજકારણી નવજોત સિંહ સિદ્ધુ રવિવારે સત્તવાર રીતે કોંગ્રેસ સાથે જોડાયા છે. લાંબા સમયથી આ વાતનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. નવજોત સિંહ સિદ્ધુએ પાર્ટીમાં જોડાતા પહેલાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેમણે પાર્ટીમાં જોડાવાની ઔપચારિક વિધિઓ પૂર્ણ કરી હતી. તો બીજી બાજુ તેમના પત્ની નવજોત કૌર પહેલા જ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઇ ચૂક્યાં છે.

અમૃતસર ઇસ્ટ લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે
એક અનુમાન અનુસાર સિદ્ધુ કોંગ્રેસની ટિકિટ પર અમૃતસર ઇસ્ટ લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે. હાલ આ સીટના ધારાસભ્ય તેમના પત્ની નવજોત કૌર છે. નવજોત કૌર ગત વર્ષે નવેમ્બરમાં જ આ કોંગ્રેસ સાથે જોડાયા હતા. નવજોત સિંહ સિદ્ધુએ રવિવારે સત્તવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા બાદ રાહુલ ગાંધીએ પોતાના નિવાસ સ્થાન ખાતે રાખેલી પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું હતું. સામે સિદ્ધુએ પણ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના ખૂબ વખાણ કર્યા હતા. સિદ્ધુએ કહ્યું હતું કે, આ ફ્રન્ટ ફુટ પર નવી ઇનિંગની શરૂઆત છે. પંજાબ, પંજાબિયત અને દરેક પંજાબીએ જીતવાનું જ છે
Navjot Singh Sidhu joins Congress. He met Congress Vice president Rahul Gandhi a short while ago. pic.twitter.com/c1tRfUf5jq
— ANI (@ANI_news) January 15, 2017
કોંગ્રેસ પાર્ટીને મુન્નીથી પણ વધુ બદનામ કીધી હતી
ઉલ્લેખનીય છે કે, સિદ્ધુ આજે જે પાર્ટી અને રાહુલ ગાંધીના મન ખોલીને વખાણ કર્યા છે, એ જ પાર્ટીને થોડા સમય પહેલા જ તેમણે મુન્નીથી પણ વધુ બદનામ કીધી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી પોતાના જે યુવરાજ રાહુલ ગાંધીના દમ પર સત્તામાં આવવાના પ્રયત્નો કરી રહે છે, એને પહેલા સાચી તાલીમ આપવાની જરૂર છે. તેમણે તે સમયે રાહુલ ગાંધઈને ફરી સ્કૂલ જવાની સલાહ આપી હતી.
Congress munni se jyada badnam hogayi : Sidhu
— Fever-बुखार (@natwarilal) January 15, 2017
pic.twitter.com/hk1OLCidyD
ભાજપમાં થતી હતી અવગણના
નોંધનીય છે કે, વર્ષ 2004 થી વર્ષ 2014 સુધી અમૃતસર લોકસભા સીટના સાંસદ રહેલા નવજોત સિંહ સિદ્ધુ અને તેમની પત્નીએ ગત વર્ષે પાર્ટી સાથે મતભેદ થતાં રાજીનામું આપ્યું હતું. સિદ્ધુનો આરોપ હતો કે તેમની સતત અવગણના કરવામાં આવતી હતી. આથી નિરાશ અને દુઃખી થઇને તેમણે ભાજપ છોડવાનો નિર્ણય લીધો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
