બીજેપી મંત્રીનું નિવેદન, ગાય ઓક્સિજન લે છે અને આપે પણ છે
ઉત્તરાખંડ વિધાનસભામાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો પ્રસ્તાવ બધાની સહમતી સાથે પસાર કરીં દેવામાં આવ્યો છે.
ઉત્તરાખંડ વિધાનસભામાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો પ્રસ્તાવ બધાની સહમતી સાથે પસાર કરીં દેવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ વિધાનસભામાં પશુપાલન મંત્રી રેખા આર્યા ઘ્વારા રજુ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પશુપાલન મંત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગાય એક એવું જીવ છે જે ઓક્સિજન લે છે અને ઓક્સિજન છોડે પણ છે. તેમને આગળ કહ્યું કે ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાથી તેમની સુરક્ષામાં માટે યોગ્ય પગલાં ભરવામાં આવશે, જેથી ગૌહત્યા અટકી શકે.

રેખા આર્યા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગાયને માતાનું રૂપ માનવામાં આવ્યું છે. તેમને આગળ જણાવ્યું કે બાળકને માતાનું દૂધ ઉપલબ્ધ નહીં હોવા પર ગાયના દૂધને વૈજ્ઞાનિક રૂપે બેસ્ટ માનવામાં આવ્યું છે. પશુપાલન મંત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગાયનું સમ્માન ભારતમાં જ નહીં પરંતુ બીજા દેશોમાં પણ કરવામાં આવે છે. તેમને કહ્યું કે ધાર્મિક ગ્રંથોમાં પણ ગાયનો ઉલ્લેખ મળે છે.
તેમને આગળ જણાવ્યું કે ગાયના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. રેખા આર્યા ઘ્વારા રજુ કરવામાં આવેલા પ્રસ્તાવને બધાની સહમતી ઘ્વારા પસાર કરી દેવામાં આવ્યો. સદનમાં હાજર કેટલાક લોકો ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગાયની સુરક્ષા માટે યોગ્ય પગલાં ભરવા જોઈએ. વિપક્ષ નેતા ઇન્દિરા હૃદેશ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગાયને માતાનો દરજ્જો આપવો ખુબ જ સારી બાબત છે. પરંતુ અમે એવી પણ ખબરો સાંભળીયે છે કે ગાયોની શેલ્ટર હોમમાં સારી રીતે સંભાળ રાખવામાં નથી આવતી અને તેમની યોગ્ય સુવિધા નહીં મળવાને કારણે મૌત થઇ જાય છે.












Click it and Unblock the Notifications
