Covid-19 Strain: બ્રિટનથી ભારત આવતા લોકો માટે SOP જારી, જાણી લો આ નિયમ
સરકારે બ્રિટનથી આવતા મુસાફરો માટે માનક પરિચાલન પ્રક્રિયા (SOP)જારી કરી છે.
નવી દિલ્લીઃ Covid-19 Strain: બ્રિટનમાં કોરોના વાયરસ (Coronavirus)નો નવો સ્ટ્રેન મળવાથી દુનિયાભરના દેશો એલર્ટ પર છે. આ દરમિયાન ભારતમાં પણ કોવિડ-19ના નવા સ્ટ્રેનથી સંક્રમિત દર્દી મળ્યા છે જેમાંથી મોટાભાગના બ્રિટન(Britain)ની મુસાફરી કરીને પાછા આવ્યા છે. આ દરમિયાન ભારત સરકારે 8 જાન્યુઆરી, 2021થી બ્રિટન માટે ફરીથી ફ્લાઈટો શરૂ કરવાનુ એલાન કર્યુ છે. આ નિર્ણયના એક દિવસ બાદ હવે સરકારે બ્રિટનથી આવતા મુસાફરો માટે માનક પરિચાલન પ્રક્રિયા (SOP)જારી કરી છે.

ભારત સરકાર દ્વારા જારી એસઓપી મુજબ બ્રિટનથી ભારત આવતા મુસાફરો પાસે કોરોના વાયરસનો નેગેટીવ રિપોર્ટ હોવો જોઈએ. મુસાફરોનો કોરોના વાયરસ રિપોર્ટ નેગેટીવ છે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી એરલાઈન્સ કંપનીની હશે. બ્રિટનથી આવતા બધા મુસાફરોને અનિવાર્ય રીતે ભારતીય એરપોર્ટ એરપોર્ટ પર તેમના આગમન પર આરટી-પીસીઆર ટેસ્ટ(RT-PCR test) કરાવવુ અનિવાર્ય હશે. ટેસ્ટમાં લાગતી કિંમતની ચૂકવણી પણ મુસાફરોએ જ કરવાની રહેશે. આ સિવાય કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ પણ મુસાફરીઓેને 14 દિવસ માટે ઘરે ક્વૉરંટાઈન રહેવાની સલાહ આપવામાં આવી છે.
New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો
સરકાર દ્વારા જારી દિશાનિર્દેશ 30 જાન્યુઆરીની રાતે 12 વાગ્યા સુધી લાગુ રહશે. જો કે અમુક આદેશોનુ પાલન સમય સીમા ખતમ થયા બાદ પણ કરવામાં આવી શકે છે. ભારત આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોએ એક સ્વ-ઘોષણા ફૉર્મ ભરવાનુ રહેશે જેમાં તેમણે પોતાના છેલ્લા 14 દિવસની મુસાફરીની માહિતી આપવાની રહેશે. 8 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી વચ્ચે આંતરરાષ્ટ્રીય મુસાફરોએ આ ફૉર્મ નિર્ધારિત યાત્રાથી ઓછામાં ઓછુ 72 કલાક પહેલા ઑનલાઈન પોર્ટલ (newdelhiairport.in) પર જઈને ભરવાનુ રહેશે. આ ઉપરાંત યુકેથી આવતા બધા મુસાફરોએ નેગેટીવ આરટી-પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ સાથે રાખવાનો રહેશે. જે યાત્રા શરૂ કરવાથી 72 કલાક પહેલા કરવામાં આવ્યુ હોય. ફ્લાઈટમાં બેસતા પહેલા એરલાઈન્સ મુસાફરોના કોરોના રિપોર્ટની તપાસ કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
