તમારા સ્માર્ટફોન અને ચલણી નોટમાં 28 દિવસ સુધી જીવતો રહી શકે કોરોના વાયરસ
તમારા સ્માર્ટફોન અને ચલણી નોટમાં 28 દિવસ સુધી જીવતો રહી શકે કોરોના વાયરસ
નવી દિલ્હીઃ કોરોનાવાયરસ સંક્રમણને લઈ સતત નવા રિસર્ચ સામે આવી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય જાહેરાત એજન્સીની લેબમાં થયેલ શોધ મુજબ જીવલેણ નોબલ કોરોનાવાયરસ ચલણી નોટ, સ્માર્ટફોન્સના ગ્લાસની સપાટી પર કુલ 28 દિવસ સુધી જીવતો રહી શકે છે. જેમાં સ્માર્ટફોન્સની સ્ક્રીન અને સ્ટેનલેસ સ્ટીલની સપાટી પણ સામેલ છે. નિઃસંદેહ આ એક ભયંકર સમાચાર છે, જેને લઈ અત્યાર સુધી માત્ર આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી પણ હવે સંશોધનમાં પણ સાબિત થઈ ચૂક્યું છે.

નિયમિત રૂપે હાથ ધોવા અને સપાટીની સફાઈ સુરક્ષિત ઉપાય છે
વાયરોલોજી જર્નલમાં પ્રકાશિત શોધમાં માલૂમ પડ્યું કે કોરોના વાયરસ માટે કારક બીમારી SARS-VoV-2 લાંબા સમય સુધી સ્ટેનલેસ સ્ટીલ અને ગ્લાસવાળી સપાટી પર જીવિત રહી શકે છે, જે નિયમિત રૂપે હાથ ધોવા અને સપાટીની સફાઈ જેવી સૌથી સુરક્ષિત જરૂરતના મહત્વને દર્શાવે છે. તાજું અધ્યયન એમ પણ દર્શાવે છે કે તાપમાન આ વાયરસને જીવિત રાખવાની અવધિ નક્કી કરે છે. એટલે કે વધતા તાપમાન સાથે વાયરસ જીવિત રહેવાની અવધિમાં ઘટાડો આવી જાય છે.

20 ડિગ્રી સેલ્સિયસ પર ચિકણી સપાટી પર બહુ તીવ્ર અવસ્થામાં હતો વાયરસ
સીએસઆઈઆરઓ, ઓસ્ટ્રેલિયાની એક રાષ્ટ્રીય જાહેરાત એજન્સીના અધ્યયનથી માલૂમ પડ્યું કે 20 ડિગ્રી સેલ્સિયસના તાપમાન પર SARS-CoV-2 ચીકણી સપાટી પર બહુ તીવ્ર અવસ્થામાં હતો. જેમાં ગ્લાસ, મોબાઈલ ફોનની સ્ક્રીન, પ્લાસ્ટિક અને બેંક કરન્સી સામેલ છે, જ્યાં વાયરસ 28 દિવસ સુધી જીવિત રહ્યો જ્યારે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર વાયરસના જીવિત રહેવાના દરમાં સાત દિવસની ગિરાવટ નોંધાઈ. જ્યારે 40 ડિગ્રી સેલ્સિયસ વાળા તાપમાનમાં વાયરસ 24 કલાકમાં જ નિપટી ગયો.

નિમ્નતમ તાપમાન પર 14 દિવસ અને ઉચ્ચતમ તાપમાન પર 16 દિવસ જીવતો રહ્યો
તાજા અધ્યયનમાં માલૂમ પડ્યું કે કપાસ અને અન્ય વસ્તુઓ પર આ વાયરસ માત્ર નાની અવધીમાં નિપટી ગયો. જ્યારે ન્યૂનતમ તાપમાન પર 14 દિવસ અને ઉચ્ચતમ તાપમાન પર આ 16 કલાક સુધી જીવિત રહી શક્યો. નવા પરિણામ જણાવે છે કે SARS-CoV-2 બિન છિદ્રપૂર્ણ સપાટી પર ચાર દિવસથી વધુ સમય સુધી જીવિત રહી શકતો હતો. શોધ જણાવે છે કે ઈન્ફ્લુએંજા એના મામલામાં પણ સમાન પરિણામ મળી આવ્યા, જે સપાટી પર 17 દિવસ સુધી જીવિત રહ્યા છે.

સ્માર્ટફોન કોરોનાનો શિકાર બનાવી શકે
ઓસ્ટ્રેલિયન સેન્ટર ફૉર ડિજીજ પ્રીપેયર્ડનેસના ડાયરેક્ટર ટ્રેવર ડ્રૂએ જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ મોબાઈલ, કરન્સી વગેરે અડવાના મામલે લાપરવાહી વરતે છે અને એજ હાથે પોતાના નાક અને આંખને અડે છે, તો તેને કોરોના થવાનું જોખમ વધી જાય છે, જે વાયરસના પ્રકાર, માત્રા, સપાટી, તાપમાન પર નિર્ભર કરે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
