પીએમ મોદીના સંબોધન પર કોંગ્રેસઃ દેશ કોરુ સંબોધન નહિ, ઠોસ સમાધાન ઈચ્છે છે
કાલે સાંજે 6 વાગે પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધિત પણ કર્યા હતા પરંતુ ત્યારબાદ કોંગ્રેસે પીએમ મોદી પર મોટો હુમલો કર્યો છે.
નવી દિલ્લીઃ કોરોના માટે સાવચેત રહેવાી અપીલ મંગળવારે પીએમ મોદીએ દેશની જનતાને કરી છે. આના માટે તેમણે કાલે સાંજે 6 વાગે દેશવાસીઓને સંબોધિત પણ કર્યા હતા પરંતુ ત્યારબાદ કોંગ્રેસે પીએમ મોદી પર મોટો હુમલો કર્યો છે. કોંગ્રેસે કહ્યુ કે મહામારીથી નિપટવા માટે દેશને જુમલાની નહિ પરંતુ ઠોસ સમાધાનની જરૂર છે. પીએમ મોદીના સંબોધન બાદ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલએ ટ્વિટ કરીને કહ્યુ કે મોદી સરકાર દરેક મોરચે નિષ્ફળ સાબિત થઈ છે. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યુ કે તુલસીદાસજીએ કહ્યુ છે - 'પર ઉપદેશ કુશલ બહુતેરે, જે આચરહિં તે નર ન ધનેરે!' એટલે કે ઉપદેશ આપવા સરળ છે કહેવા પર અમલ કરો. દેશ કોરુ સંબોધન નહિ, ઠોસ સમાધાન ઈચ્છે છે.

રણદીપ સુરજેવાલાએ કર્યો વાર
ત્યારબાદ સુરજેવાલા અને કોંગ્રેસ પ્રવકતા પવન ખેડાએ સંયુક્ત નિવેદન જારી કર્યુ જેમાં તેમણે કહ્યુ કે પ્રધાનમંત્રી મોદી કૃપા કરીને દેશને જણાવો કે મહામારી કેવી રીતે નિયંત્રિત થશે અને કથળથી અર્થવ્યવસ્થા કેવી રીતે સચવાશે? શું તેમની પાસે કોઈ સમાધાન છે કે આના માટે ભગવાનને દોષ આપશો અને માત્ર છંદ જ સંભળાવશો, કોરોનાની જંગ વચ્ચે આપણા ગાયબ રહે છે અને અચાનકથી ટીવી પર ઉપદેશ આપવા આવી જાય છે. સુરજેવાલાએ કહ્યુ કે 18 માર્ચના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે મહાભારતનુ યુદ્ધ 18 દિવસ ચાલ્યુ હતુ, આપણે 21 દિવસમાં કોરોનાથી જીતી જઈશુ. આજે 210 દિવસ બાદ પણ લડાઈ ચાલુ છે અને લોકોના જીવ જઈ રહ્યા છે પરંતુ પીએમ મોદી કંઈક અલગ જ સૂર આલાપી રહ્યા છે.

આ સમય બેદરકારી રાખવાનો નથી
ઉલ્લેખનીય છે કે પોતાના સંબોધનમાં કાલે પીએમ મોદીએ કહ્યુ છે કે આજે દેશમાં રિકવરી રેટ સારો છે, મૃત્યુ દર ઓછો છે. દુનિયાના સાધન-સંપન્ન દેશોની સરખામણીમાં ભારત પોતાના વધુને વધુ નાગરિકોનુ જીવન બચાવવામાં સફળ થઈ રહ્યો છે. કોવિડ મહામારી સામે લડાઈમાં ટેસ્ટની વધતી સંખ્યા આપણી એક મોટી તાકાત કરી છે. સેવા પરમો ધર્મના મંત્ર પર ચાલીને આપણા ડૉક્ટર્સ, નર્સ અને હેલ્થ વર્કર્સ આટલી મોટી વસ્તીની નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે. આ બધા પ્રયાસો વચ્ચે આ સમય બેદરકારી રાખવાનો નથી. આ સમય એ માની લેવાનો નથી કે કોરોના જતો રહ્યો કે પછી હવે કોરોનાથી કોઈ જોખમ નથી.

ભારત આજે નિયંત્રિત સ્થિતિમાં છે
સમય સાથે આર્થિક ગતિવિધિઓમાં પણ ધીમે ધીમે ગતિ જોવા મળી રહી છે. આપણામાંથી મોટાભાગના લોકો, પોતાની જવાબદારીઓ નિભાવવા માટે ફરીથી જીવનને ગતિ આપવા માટે રોજ ઘરોમાંથી બહાર નીકળી રહ્યા છે. તહેવારોની આ સિઝનમાં બજારોમાં પણ રોનક ધીમે ધીમે આવી રહી છે. પરંતુ આપણે એ ભૂલવાનુ નથી કે લૉકડાઉન ભલે જતુ રહ્યુ હોય, વાયરસ ગયો નથી. છેલ્લા 7-8 મહિનાઓમાં દરેક ભારતીયના પ્રયત્નથી ભારત આજે નિયંત્રિત સ્થિતિમાં છે, આપણે તેને બગડવા ન દેવાની નથી.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
