15 ભ્રષ્ટ ઑફિસરને મોદી સરકારે જબરદસ્તી રિટાયર કરાવી દીધા
15 ભ્રષ્ટ ઑફિસરને મોદી સરકારે જબરદસ્તી રિટાયર કરાવી દીધા
નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે ઑફિસર્સને હટાવ્યા બાદ મંગળવારે મોદી સરકારે કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શલ્ક બોર્ડે 15 અધિકારીઓને જબરદસ્તીથી રિટાયરમેન્ટ પર મોકલી આપ્યા છે. સરકારે નિયમ 56નો ઉપયોગ કરી તેમને હટાવવાનો ફેસલો લીધો છે. જેમાંથી એક પ્રધાન આયુક્ત છે. આ તમામ લોકો પર ભ્રષ્ટાચાર અને લાંચ લેવાના આરોપ છે. નાણા મંત્રાલયના આદેશ મુજબ સીબીઆઈસીના અધિકારીઓને પ્રધાન આયુક્ત અને સહાયક આયુક્તના રેંકથી હટાવી દીધા છે.

ઑફિસર્સ પર ભ્રષ્ટાચારનો આરોપ
નાણામંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે જબરદસ્તી રિટાયર કરવામાં આવેલ ઑફિસર્સ વિરુદ્ધ કેન્દ્રીય તપાસ એજન્સીએ કેસ નોંધ્યા છે. બાકી ઑફિસર્સ વિરુદ્ધ લાંચ, આવકથી વધુ સંપત્તિ રાખવા જેવા મામલા છે. બરતરફ કરાયેલ આ લોકોમાં મુખ્ય કમિશનર અનુપ શ્રીવાસ્તવ પણ સામેલ છે. અનુપ દિલ્હીમાં કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડમાં પ્રિંસિપલ એડીજીના પદ પર કાર્યરત છે. તેમના ઉપરાંત નલિન કુમાર જે જોઈન્ટ કમિશનરના પદ પર તહેનાત છે, તેમને પણ બરતરફ કરવામાં આવ્યા છે. સીબીઆઈએ તેમના પર 1996માં અપરાધિક કેસ નોંધ્યો હતો.

સીબીઆઈએ કેસ નોંધ્યો
સૂત્રોએ જાણકારી આપી કે સીબીઆઈએ અનુપ શ્રીવાસ્તવ વિરુદ્ધ નોંધાયેલ કેસમાં કહ્યું કે તેમણે એક હાઉસિંગ સોસાયટીની મદદ કરી હતી. આ જમીન રીદવા માટે ગેરકાયદેસર રીતે એનઓસી લેવાની કોશિશ કરી રહ્યા હતા. સીબીઆઈએ તેમની વિરુદ્ધ એક કેસ વર્ષ 2012માં નોંધ્યો હતો. તેમના ઉપર લાંચ સહિત ઉત્પીડન, ખોટી ધરપકડ કરાવી હોવાની અને જબરદસ્તીથી વસૂલી કરી હોવાની ફરિયાદ પણ છે. જ્યારે જોઈન્ટ કમિશનર લિન કુમાર વિરુદ્ધ છેતરપિંડી અને ગેરકાયદેસર રીતે સંપત્તિની અનુમતિ આપવા સંબંધિત મામલા સીબીઆઈએ નોંધ્યા છે. તેમને પણ મંગળવારે તેમની સેવામાંથી બરતરફ કરી દેવામાં આવ્યા.

રિટાયર કરાયેલ 15 ઑફિસરની યાદી
કોલકાતામાં કમિશ્નર સંસાર ચંદ પર રિશ્વતખોરીનો આરોપ છે. જ્યારે ચેન્નઈના કમિશ્નર જી શ્રી હર્ષા પર 2.24 કરોડ રૂપિયની આવકથી વધુ સંપત્તિનો મામલો છે. તેમને પણ બરતરફ કરી દેવામાં આવ્યા છે. બે કમિશ્નર રેંકના અધિકારી અતુલ દીક્ષિત અને વિનય બ્રજ સિંહ, પહેલેથી જ સસ્પેન્ડેડ હતા. તેમને પણ સરકારે સેવામાંથી બર્ખાસ્ત કરી દીધા છે. આ ઉપરાંત સીબીઆઈથી બર્ખાસ્ત ઑફિસર્સમાં એડિશનલ કમિશ્નર અશોક મહિદા, એડિશ્નલ કમિશ્નર વીરેન્દ્ર અગ્રવાલ સામેલ છે. બાકી 15 રિટાયર કરેલ અધિકારીઓમાં સાયક કમિશ્નર એસએસ પબાના, એસએસ બિષ્ટ, વિનોદ સંગા, રાજૂ સેકર, મોહમ્મદ અલ્તાફ અને કમિશ્નર અશોક અસવાલ. આ તમામને તેમની ઈચ્છા વિરુદ્ધ રિટાયર કરી દેવામાં આવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
