કોરોના વાયરસઃ તાજમહેલ સહિત બધા સ્મારક 31 માર્ચ સુધી કરાયા બંધ
કોરોનાના સંક્રમણને ફેલાવાથી રોકવા માટે દેશભરના સ્મારકો, પુરાતત્વ સ્થળો અને સંગ્રહાલયોને 31 માર્ચ સુધી બંધ કરવાનો આદેશ જારી કરી દેવામાં આવ્યો છે.
દુનિયાના 137થી પણ વધુ દેશ કોરોના વાયરસ(કોવિડ-19)નો કહેર સહન કરી રહ્યા છે. એશિયાઈ દેશો ઉપરાંત યુરોપીય દેશોમાં પણ કોરોના વાયરસે લોકોના જીવ લીધા છે. દુનિયાભરમાં આ વાયરસના કારણે અત્યાર સુધી 7000થી પણ વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે આનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા 1 લાખ 65 હજારથી વધુ થઈ ચૂકી છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. વળી, આના સંક્રમણને ફેલાવાથી રોકવા માટે દેશભરના સ્મારકો, પુરાતત્વ સ્થળો અને સંગ્રહાલયોને 31 માર્ચ સુધી બંધ કરવાનો આદેશ જારી કરી દેવામાં આવ્યો છે.

આગ્રામાં તાજમહેલ, આગ્રા કિલ્લો, ફતેહપુર સીકરી, મહતાબ બાગ સહિત સ્મારક બંધ કરવાનો આદેશ આપ્યા છે. વળી, મુખ્ય સ્માકોમાં હુમાયુનો મકબરો, કુતુબ મિનાર, અજંતા ઈલોરાની ગુફાઓ સહિત 200થી વધુ ઐતિહાસિક ઈમારતોને બંધ કરવાના આદેશ આપ્યા છે. ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં મંદિર પ્રશાસને કોરા વાયરસના કારણે સામાન્ય શ્રદ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
કોરોના વાયરસના ખતરાને જોતા મુંબઈનના બાબુલનાથ મંદિરને આગામી આદેશ સુધી બંધ કરવામાં આવ્યા છે. કોરોના વાયરસના ખતરાને જોતા નાગપુર પ્રશાસને શહેરમાં કલમ 144 લાગુ કરી છે. કોરોનાના ખતરાને જોતા ગોવા વન્ય જીવ અભયારણ્યને બંધ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશમાં ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શામેલ થવા પર રોક લગાવી દેવામાં આવી છે.
કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. દેશમા આ મહામારીથી બે લોકોના મોત નીપજ્યા છે. કર્ણાટકમાં એક મોત થયુ છે જ્યારે બીજુ મોત દિલ્લીમાં થયુ છે. આરોગ્ય મંત્રાલયે માહિતી આપી છે કર્ણાટકમાં કોરોનાના બે નવા કેસ સામે આવ્યા છે ત્યારબાદ રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા 10 થઈ ગઈ છે. સરકારે લોકોને અપીલ કરી છે કે તે ભીડવાળા વિસ્તારમાં જવાનુ ટાળે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
