Corona Virus : કોરોનાથી મોતનાં આંકડામાં મોટો ઉછાળો, લાંબા સમય બાદ 666 લોકોના મોત!
દેશમાં કોરોનાથી મૃત્યુઆંક ફરી એક વખત ડરાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 16,326 નવા દર્દીઓ નોંધાયા છે અને 666 દર્દીઓના મોત થયા છે. આ મોત માંથી માત્ર કેરળમાં જ 563 મોત નોંધાયા છે.
નવી દિલ્હી, 23 ઓક્ટોબર : દેશમાં કોરોનાથી મૃત્યુઆંક ફરી એક વખત ડરાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 16,326 નવા દર્દીઓ નોંધાયા છે અને 666 દર્દીઓના મોત થયા છે. આ મોત માંથી માત્ર કેરળમાં જ 563 મોત નોંધાયા છે. જો કે કેરળમાં મૃત્યુનો આ આંકડો બેકલોગનો આંકડો છે, એટલે કે રાજ્યમાં કોરોનાથી આ પહેલા પણ આટલા મોત થયા હતા, પરંતુ તે નોંધવામાં આવ્યા ન હતા.

કેરળના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 22 ઓક્ટોબર સુધી કેરળમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 27,765 પર પહોંચી ગયો છે, જેમાં 563 મૃત્યુનો બેકલોગ છે, જે પહેલા થયા હતા પરંતુ હવે તે નોંધવામાં આવ્યા છે. આમાં શુક્રવારે નોંધાયેલા 99 મૃત્યુનો સમાવેશ થાય છે, 14 જૂન 2020 ના રોજ 292 મૃત્યુ નોંધાયા હતા, પરંતુ પૂરતા દસ્તાવેજોના અભાવને કારણે તે નોંધવામાં આવ્યાં નહોતા. આ સિવાય કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકા મુજબ 172 લોકોના મોત થયા છે. આ રીતે શુક્રવારે કેરળમાં કોરોનાથી મૃત્યુઆંક 563 હતો. 21 ઓક્ટોબરે કેરળમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 27,202 હતો.
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનામાં દેશમાં કોરોનાની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. કોરોનાના નવા કેસોમાં ઝડપી ઘટાડો થયો છે. હવે કેટલાક રાજ્યો એવા પણ છે જે ધીમે ધીમે કોરોના મુક્ત બનવા તરફ આગળ વધી રહ્યા છે, જ્યારે કેટલાક રાજ્યોએ ચિંતા વ્યક્ત કરી છે. દેશમાં મોટા પ્રમાણમાં રસીકરણ થઈ રહ્યું છે તેના કારણે નિષ્ણાતો માની રહ્યા છે કે જો ત્રીજી લહેર આવે તો પણ તેના વિનાશક પરિણામો જોવા નહીં મળે. જો કે, હજુ પણ આરોગ્ય નિષ્ણાતો લોકોને તહેવારોની સીઝનમાં સંપૂર્ણ સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
