Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સંસદ ભવનના ઉદ્ઘાટનનો કોંગ્રેસ દ્વારા બહિષ્કાર કરવો લોકતંત્રને નબળુ પાડે છેઃ સીએમ યોગી

Yogi Adityanath: 28 મેના રોજ દિલ્હીમાં બનેલા સંસદ ભવનનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે અને નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરશે.

પીએમ મોદી તેનુ ઉદ્ઘાટન કરી રહ્યા છે માટે કોંગ્રેસ સહિત અન્ય 19 વિપક્ષી પાર્ટીઓએ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. તેમની માંગ છે કે પીએમ મોદીના બદલે સંસદ ભવનનું ઉદ્ઘાટન દેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવે.

Yogi Adityanath

કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓના સમારોહનો બહિષ્કાર કરવા પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે વિપક્ષનું આ વલણ લોકતંત્રને નબળું પાડે છે. મને નથી લાગતું કે દેશ તેને કોઈપણ સંજોગોમાં સ્વીકારશે.

યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે આ ઐતિહાસિક પ્રસંગને ગૌરવપૂર્ણ ક્ષણ બનાવવાને બદલે કોંગ્રેસ સહિત વિપક્ષ નિવેદનબાજી કરી રહ્યા છે. આ દુર્ભાગ્યપૂર્ણ અને બેજવાબદારીભર્યુ છે. તે લોકશાહીને નબળી પાડે છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે દેશ તેને કોઈપણ સંજોગોમાં સ્વીકારશે નહિ.

કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓના બહિષ્કાર પર સપા સાંસદ રામ ગોપાલ યાદવે કહ્યું કે વિપક્ષ જે કહી રહ્યો છે તે બિલકુલ સાચું છે. બંધારણ કહે છે કે સંસદ એટલે રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. રાષ્ટ્રપતિ વિધાનસભાના વડા છે. તેમણે કહ્યું હતું કે ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી રહ્યું નથી, જેના વિના સંસદની વ્યાખ્યા અધૂરી છે અથવા જો તેમને કાર્યક્રમમાં જ બોલાવવામાં ન આવે તો તે તદ્દન ખોટું છે અને ખોટો દાખલો બેસાડવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)એ રવિવારે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો વિરોધ પક્ષોના બહિષ્કારને લોકશાહીના તત્વનું ખૂબ જ અપમાનજનક ગણાવ્યું છે. સાથે જ વિપક્ષને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે કહેવામાં આવ્યું છે.

ભારતના 140 કરોડ લોકો આપણી લોકશાહી અને તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું આ વિશાળ અપમાન ભૂલી શકશે નહીં, એમ બુધવારે વિપક્ષોએ સમારોહનો બહિષ્કાર કર્યા પછી એનડીએ નેતાઓએ જણાવ્યું હતું. આ હસ્તાક્ષરિત નિવદેન ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, શિવસેનાના એકનાથ શિંદે અને મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાનુ છે.

એનડીમાં સામેલ નેતાઓએ કહ્યું કે સંસદભવનના આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય માત્ર અનાદરજનક નથી, તે આપણા મહાન રાષ્ટ્રના લોકતાંત્રિક મૂલ્યો અને બંધારણીય મૂલ્યોનું ઘોર અપમાન છે.

21 પક્ષોએ બુધવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને બદલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમારોહની અધ્યક્ષતા કરવાના નિર્ણયનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. બીજુ જનતા દળ અને યુવાજન શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી જેવી પાર્ટીઓ, જે એનડીએનો ભાગ નથી પરંતુ ભાજપ માટે મૈત્રીપૂર્ણ માનવામાં આવે છે, તે ઉદ્ઘાટનમાં ભાગ લેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X