તેલંગાણા મુદ્દે કોંગ્રેસના સાંસદે પાર્ટી છોડવાની ધમકી આપી

તેમણે જણાવ્યું કે આ બાબતે નિર્ણય લેવા માટે તે પ્રદેશના અન્ય સાંસદો સાથે મળીને એક કે બે દિવસમાં નિર્ણય લેશે. જો કે તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ટૂંક સમયમાં કોંગ્રેસ પાર્ટી તેલંગાણાને અલગ રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દે નિર્ણય લેશે.
રવિવારે પત્રકારો સાથેની મુલાકાતમાં જગન્નાથમની સાથે રાજ્યના મંત્રી કે જના રેડ્ડી અને પાર્ટી નેતા કે કેશવા રાવનો પણ હાજર હતા. આ ઘટનાક્રમને પગલે કોંગ્રેસે તાત્કાલિક બેઠક પણ બોલાવી હતી. જના રેડ્ડીએ જણાવ્યું હતું કે તેમને જગન્નાથમના પાર્ટી છોડવાના નિર્ણયની જાણ ન હતી.
આ પ્રસંગે જગન્નાથમે સ્પષ્ટતા કરી હતી કે શનિવારે ટીઆઇએસના પ્રમુખ કે ચંદ્રશેખર રાવ સાથેની તેમની બેઠક માત્ર ઔપચારિક બેઠક હતી. આ દરમિયાન કોંગ્રેસના અન્ય એક સાંસદ જી વિવેકે આજે જણાવ્યું કે તેઓ પાર્ટીની સાથે જ રહેશે. તેઓ પાર્ટીમાં રહીને જ અલગ તેલંગાણા માટે લડશે. અગાઉ એવી અટકળો વહેતી થઇ હતી કે જગન્નાથમ સાથે જી વિવેક અને એસ રાજૈયાહ જોડાવાના છે. રાજ્યમાં કોંગ્રેસના ઓછામાં ઓછા 7 સાંસદ અલગ તેલંગાણા રાજ્યની માંગ કરી રહ્યા છે.હૈદરાબાદ, 14 એપ્રિલ : આંધ્રપ્રદેશમાં આવેલા તેલંગાણાના એક કોંગ્રેસી સાંસદે રવિવારે ધમકી આપી છે કે જો તેલંગાણા પ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે નહીં તો તેઓ પાર્ટી છોડી દેશે. આંધ્રપ્રદેશના નાગરકૂર્લૂમ સંસદીય મત વિસ્તારના સાંસદ મંદા જગન્નાથમે જણાવ્યું હતું કે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆઇએસ) દ્વારા તેમને પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું કે આ બાબતે નિર્ણય લેવા માટે તે પ્રદેશના અન્ય સાંસદો સાથે મળીને એક કે બે દિવસમાં નિર્ણય લેશે. જો કે તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ટૂંક સમયમાં કોંગ્રેસ પાર્ટી તેલંગાણાને અલગ રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દે નિર્ણય લેશે.
રવિવારે પત્રકારો સાથેની મુલાકાતમાં જગન્નાથમની સાથે રાજ્યના મંત્રી કે જના રેડ્ડી અને પાર્ટી નેતા કે કેશવા રાવનો પણ હાજર હતા. આ ઘટનાક્રમને પગલે કોંગ્રેસે તાત્કાલિક બેઠક પણ બોલાવી હતી. જના રેડ્ડીએ જણાવ્યું હતું કે તેમને જગન્નાથમના પાર્ટી છોડવાના નિર્ણયની જાણ ન હતી.
આ પ્રસંગે જગન્નાથમે સ્પષ્ટતા કરી હતી કે શનિવારે ટીઆઇએસના પ્રમુખ કે ચંદ્રશેખર રાવ સાથેની તેમની બેઠક માત્ર ઔપચારિક બેઠક હતી. આ દરમિયાન કોંગ્રેસના અન્ય એક સાંસદ જી વિવેકે આજે જણાવ્યું કે તેઓ પાર્ટીની સાથે જ રહેશે. તેઓ પાર્ટીમાં રહીને જ અલગ તેલંગાણા માટે લડશે. અગાઉ એવી અટકળો વહેતી થઇ હતી કે જગન્નાથમ સાથે જી વિવેક અને એસ રાજૈયાહ જોડાવાના છે. રાજ્યમાં કોંગ્રેસના ઓછામાં ઓછા 7 સાંસદ અલગ તેલંગાણા રાજ્યની માંગ કરી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
