મહારાષ્ટ્રઃ કોંગ્રેસ નેતા બોલ્યા, ભાજપે કાલે અમારા બે ધારાસભ્યને 25 કરોડની ઑફર આપી
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ચાલી રહેલ ખેંચતાણ વચ્ચે કોંગ્રેસે ભાજપ પર હૉર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે.
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ચાલી રહેલ ખેંચતાણ વચ્ચે કોંગ્રેસે ભાજપ પર હૉર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા નિતિન રાઉતે કહ્યુ કે ભાજપ સતત કોંગ્રેસ ધારાસભ્યોને પૈસાની લાલચ આપીને તોડવાની કોશિશ કરી રહી છે. કાલે જ અમારા બે ધારાસભ્યોને ભાજપે 25 કરોડની ઑફર આપી છે. આ પહેલા પણ આ કોશિશ કરવામાં આવી ચૂકી છે. જે રીતે ભાજપે પૈસા અને બાહુબળની તાકાત કર્ણાટકમાં ઉપયોગ કરી તેવી જ રીતે મહારાષ્ટ્રમાં અપનાવવામાં આવી રહી છે. અમે અમારા તરફથી પૂરી કોશિશ કરી રહ્યા છે કે હૉર્સ ટ્રેડિંગને રોકી શકાય.

કોઈ રિસોર્ટમાં નહિ લઈ જાય ધારાસભ્યોનેઃ કોંગ્રેસ
નિતિન રાઉતે ભાજપ પર પાર્ટી ધારાસભ્યોના ખરીદ-વેચાણનો આરોપ લગાવ્યો છે પરંતુ કોંગ્રેસ ધારાસભ્યોને કોઈ રિસોર્ટ કે હોટલમાં લઈ જવાની ચર્ચાઓને મહારાષ્ટ્ર વિધાનસભામા વિરોધ પક્ષના નેતા વિજય વાદેત્તિવારે નકારી દીધી છે. વિજય વાદેત્તિવારે કહ્યુ છે કે અમે પોતાના ધારાસભ્યોને ક્યાંય નથી લઈ જઈ રહ્યા, બધા પોતાના ઘરોમાં છે. જો કોઈ ધારાસભ્ય ક્યાંય જઈ રહ્યા છે તો તે અંગત રીતે જઈ રહ્યા છે નહિ કે પાર્ટીનો કોઈ આદેશથી.

કોંગ્રેસના બધા ધારાસભ્ય એકજૂટઃ હુસેન દલવઈ
વળી, કોંગ્રેસ નેતા હુસેન દલવઈએ પાર્ટીના બધા ધારાસભ્યો એકજૂટ હોવાની વાત કહી છે. તેમણે કહ્યુ, અમારી પાર્ટીનો એક પણ સભ્ય ક્યાંય નહિ જાય. જે હાઈકમાન્ડનો આદેશ હશે તેને બધા માનશે. અમે ભાજપ સરકાર નહિ બનવા દઈએ. અમારુ ગઠબંધનના સાથી એનસીપી પણ અમારી સાથે છે. અમે મહારાષ્ટ્રને બચાવવા માટે જનતાએ મત આપ્યા છે અને અમે એ કામ કરીશુ.

મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવા માટે દાવપેચ
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, એનસીપી અને કોંગ્રેસ ત્રણે દળ સીધી કે બિનજાહેર રીતે એ આરોપ લગાવી રહ્યા છે કે ભાજપ તેમના ધારાસભ્યોને તોડવાની કોશિશ કરી રહી છે. શિવસેનાએ તો પોતાના ધારાસભ્યોને ફાઈવ સ્ટાર હોટલ રંગશારદામાં શિફ્ટ કરી દીધા છે. મહારાષ્ટ્રમાં કોઈ એક દળને બહુમત ન મળ્યા બાદ સરકાર બનાવવા માટે સતત ખેંચતાણ જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની 288 વિધાનસભાસીટો પર થયેલી ચૂંટણીના પરિણામો 24 ઓક્ટોબરે આવ્યા છે. ભાજપના 105 અને શિવસેનાના 56 ધારાસભ્યો જીત્યા છે. કોંગ્રેસના 44 અને એનસીપીની 54 ધારાસભ્યો જીત્યા છે. બહુમત માટે અહીં 145 સીટોની જરૂર છે. એવામાં સ્પષ્ટ છે કે કોઈ એક પાર્ટી પોતાના દમ પર સરકાર નથી બનાવી શકતી. ભાજપ-શિવસેના મળીને ચૂંટણી લડી છે અને બંને દળોની સીટો પણ બહુમતના આંકડાથી વદુ છે પરંતુ પરિણામ આવ્યા બાદથી શિવસેના અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ પર અડેલી છે. વળી, ભાજપ આના માટે તૈયાર નથી. આના માટે નવી સરકારનો રસ્તો બની શકતો નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
