દિગ્વિજય સિંહે પુલવામા આતંકી હુમલાને ગણાવી ‘દૂર્ઘટના', પીએમ મોદીને પૂછ્યા સવાલ
પુલવામા હુમલા બાદમાં રાજકીય ગરમી ઠંડી પડવાનું નામ નથી લઈ રહી. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પુલવામા આતંકી હુમલાને દૂર્ઘટના ગણાવી એકવાર ફરીથી વિવાદને હવા આપી દીધી છે.
પુલવામા હુમલા બાદમાં રાજકીય ગરમી ઠંડી પડવાનું નામ નથી લઈ રહી. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પુલવામા આતંકી હુમલાને દૂર્ઘટના ગણાવી એકવાર ફરીથી વિવાદને હવા આપી દીધી છે. દિગ્વિજય સિંહે ઘણા ટ્વીટ કર્યા અને સરકારને સવાલ પૂછ્યા. આ દરમિયાન તેમણે કહ્યુ, 'પરંતુ પુલવામા દૂર્ઘટના બાદ આપણી વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈક બાદ અમુક વિદેશીમાં શંકા પેદા કરવામાં આવી રહી છે જેનાથી આપણી ભારત સરકારની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નચિહ્ન લાગી રહ્યા છે.'

પુલવામા આતંકી હુમલાને ગણાવી ‘દૂર્ઘટના'
દિગ્વિજય સિંહે પુલવામા હુમલા બાદ વાયુસેનાની એર સ્ટ્રાઈક પર ઘણા ટ્વીટ કર્યા. તેમણે લખ્યુ, ‘અમને અમારી સેના અને તેમની બહાદૂરી પર ગર્વ છે તેમજ સંપૂર્ણ વિશ્વાસ છે. સેનામાં મે મારા અનેક પરિચિતો તેમજ નિકટના સંબંધીઓને જોયા છે કઈ રીતે તે પોતાના પરિવારને છોડીને આપણી સુરક્ષા કરે છે. અમે તેમનુ સમ્માન કરીએ છીએ.'
|
એર સ્ટ્રાઈક વિશે પીએમ મોદીને પૂછ્યા સવાલ
બીજી ટ્વીટમાં દિગ્વિજય સિંહે પુલવામા આતંકી હુમલાને દૂર્ઘટના ગણાવતા લખ્યુ, ‘પરંતુ પુલવામા દૂર્ઘટના બાદ આપણી વાયુસેના દ્વારા કરવામાં આવેલ એર સ્ટ્રાઈક બાદ અમુક વિદેશી મીડિયામાં શંકા પેદા કરવામાં આવી રહી છે જેનાથી આપણી ભારત સરકારની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નચિહ્ન લાગી રહ્યા છે. પ્રધાનમંત્રીજી તમારી સરકારના અમુક મંત્રી કહે છે 300 આતંકવાદી માર્યા ગયા, ભાજપ અધ્યક્ષ કહે છે 250 માર્યા ગયા છે, યોગી આદિત્યનાથ કહે છે 400 માર્યા ગયા અને તમારા મંત્રી કહે છે એક પણ નથી મર્યો અને તમે આ વિષયમાં મૌન છો. દેશ જાણવા ઈચ્છે છે કે આમાં જૂઠ્ઠુ કોણ છે.'
|
અમિત શાહના નિવેદનનો આપ્યો હવાલો
‘મોદીજી સવાલ ના રાજકારણનો છે ના સત્તાનો. સવાલ એ કકળતી બહેનોનો છે જેમણે પોતાના ભાઈ ખોયા છે, સવાલ એ માનો છે જેમના લાડલા શહીદ થયા છે અને સવાલ એ વીરાંગનાનો છે જેણે પોતાના પતિ ખોયા છે. તેમના સવાલોના જવાબ તમે ક્યારે આપશો? દિગ્વિજય સિંહે આગલા ટ્વીટમાં સવાલ કર્યા.'

એર સ્ટ્રાઈકનું રાજનીતિકરણ કરવાનો ભાજપ પર લગાવ્યો આરોપ
તેમણે કહ્યુ, ‘તમે તમારા વરિષ્ઠ નેતા તેમજ પક્ષ સેનાની સફળતાને જે રીતે ભાજપ માત્ર પોતાની સફળતા સાબિત કરી ચૂંટણી મુદ્દો બનાવવાનો પ્રયત્ન કરી રહી છે તે આપણા દેશના સુરક્ષાકર્મીઓની બહાદૂરી અને સમર્પણનું અપમાન છે. દેશનો દરેક નાગરિક ભારતીય સેના તેમજ સમસ્ત સુરક્ષાકર્મીઓનું સમ્માન કરે છે.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
