જે પણ કોંગ્રેસ અધ્યક્ષ બનશે તે ગાંધી પરિવાર હેઠળ કામ કરશેઃ દિગ્વિજય સિંહ
નામાંકન ભરવાના એક દિવસ પહેલા દિગ્વિજય સિંહે સ્પષ્ટ કરી દીધુ કે જે પણ કોંગ્રેસ અધ્યક્ષ બનશે તે ગાંધી પરિવારની અંદર કામ કરશે.
નવી દિલ્લીઃ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ આજે નામાંકન ભરી શકે છે. તમને જણાવી દઈએ કે આ રેસમાં નેતા શશિ થરુર પણ છે. નામાંકન ભરવાના એક દિવસ પહેલા દિગ્વિજય સિંહે સ્પષ્ટ કરી દીધુ કે જે પણ કોંગ્રેસ અધ્યક્ષ બનશે તે ગાંધી પરિવારની અંદર કામ કરશે. દિગ્વિજય સિંહે કહ્યુ કે, 'ભલે અધ્યક્ષ ગમે તે બને ગાંધી પરિવાર અમારા નેતા રહેશે. હું અહીં ફૉર્મ ભરવા માટે છુ અને પછી હું ભારત જોડો યાત્રામાં શામેલ થવા માટે પાછો જઈશ. દરેક પીસીસી પ્રતિનિધઇને કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી લડવાનો અધિકાર છે. મે નહેરુ-ગાંધી પરિવાર સાથે પોતાના નામાંકન પર ચર્ચા નથી કરી. હું એકે એંટની અને ખડગે સહિત ઘણા વરિષ્ઠ નેતાઓને મળ્યો છુ.'

દિગ્વિજય સિંહે કહ્યુ, 'નહેરુ-ગાંધી પરિવાર અમારા નેતા રહેશએ. જે પણ પાર્ટી અધ્યક્ષ બનશે તે તેમના નેતૃત્વમાં કામ કરશે. અમારી પ્રાથમિકતા એ જોવાની છે કે દેશમાં સ્થિતિ કેવી રીતે સુધરે છે, દેશને વિભાજિત નહિ થવા દઈએ અથવા બંધારણને નબળુ નહિ પડવા દઈએ.' આ પહેલા રાજસ્થાન કોંગ્રેસ ધારાસભ્ય સચિન પાયલટે પાર્ટીના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. સચિન પાયલટ સોનિયા ગાંધીને મળવા માટે ત્યારે ગયા જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વફાદારોના વિરોધ બાદ કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીમાંથી પોતાની ઉમેદવારી પાછી લઈ લીધી.
સીએમ અશોક ગેહલોતે દિલગીરી વ્યક્ત કરીને કહ્યુ કે, 'હું કોચ્ચિમાં રાહુલ ગાંધીને મળ્યો અને તેમને કોંગ્રેસ અધ્યક્ષ માટે ચૂંટણી લડવાનો અનુરોધ કર્યો. જ્યારે તેમણે સ્વીકાર ના કર્યો ત્યારે મે કહ્યુ કે હું ચૂંટણી લડીશ પરંતુ હવે રાજસ્તાનમાં રાજકીય સંકટ સાથે મે ચૂંટણી નહિ લડવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા બે દિવસમાં રાજ્યમાં જે કંઈ પણ થયુ તેણે સહુને ચોંકાવી દીધા છે.'
બીજી તરફ, કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે ગુરુવાલે દિલ્લીમાં કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. તેઓ અગાઉ સોમવારે પણ ગાંધીને મળ્યા હતા. કોંગ્રેસ નેતા શશિ થરુરે જણાવ્યુ કે તેઓ શુક્રવારે બપોરે 12.15 વાગે તેમનુ નામાંકન દાખલ કરશે. ત્યારબાદ 1 વાગે તેમના નિવાસસ્થાન 97 લોધી એસ્ટેટમાં પ્રેસ કૉન્ફરન્સ કરશે. તેમણે દિગ્વિજય સિંહની ઉમેદવારી આવકારી અને કહ્યુ કે આ મૈત્રીપૂર્ણ સ્પર્ધા રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
